AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જર્જરિત હોસ્ટેલમાં ઘડાઈ રહ્યું છે ભારતનું ભવિષ્ય, જાણો વીર નર્મદ યુનિવર્સીટીની હોસ્ટેલની હાલત

નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ અને અગવડતા પડે છે તે સંદર્ભે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ સાંભળનાર નથી.

જર્જરિત હોસ્ટેલમાં ઘડાઈ રહ્યું છે ભારતનું ભવિષ્ય, જાણો વીર નર્મદ યુનિવર્સીટીની હોસ્ટેલની હાલત
બોયઝ હોસ્ટેલની હાલત
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 30, 2021 | 5:26 PM
Share

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બોયસ હોસ્ટેલ જર્જરિત બિલ્ડિંગમાં છતની પ્લાસ્ટરનો પોપડો ખરી પડ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ વિદ્યાર્થીને ઇજા પહોંચી ન હતી. જોકે એબીવીપી દ્વારા હોસ્ટેલ ખાતે વિવિધ સુવિધાઓ ઉભી કરવા માટે કુલપતિને રજૂઆત પણ કરવામાં આવી છે.

નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ અને અગવડતા પડે છે તે સંદર્ભે એબીવીપીના અધ્યક્ષ તેમજ વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા કુલપતિને આગળ પણ રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆતમાં જણાવ્યું હતું કે હોસ્ટેલમાં શૌચાલય બાથરૂમ અને છાત્રાલયની યોગ્ય સાફ-સફાઈ, ટેબલ-ખુરશી, કબાટનું અપગ્રેડેશન, વિદ્યાર્થીઓ માટે નવા હોસ્ટેલ, Wifi router મુકવા, વાંચન અભ્યાસ માટે લાયબ્રેરી, ઈતર પ્રવૃત્તિ માટે ટેબલટેનિસ, કેરમ વગેરેની સુવિધા, વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે સંબંધિત પ્રશ્નો ઉકેલવા, નવી આરઓ સિસ્ટમ લગાવવા તેમજ જૂની બિલ્ડિંગમાં રીપેર કરાવવા, ગર્લ્સ હોસ્ટેલ પાસે સિક્યુરિટી વધારવી તેમજ ગર્લ્સ હોસ્ટેલની આજુબાજુ પૂરતી લાઇટની વ્યવસ્થા હોવી જોઇએ તેવી માગણી કરાઇ હતી.

જોકે હજી સુધી એકપણ માંગણીઓ સ્વીકારવામાં આવી નથી. હોસ્ટેલની બિલ્ડીંગમાં ઘણી જગ્યાએ પોપડા ગમે ત્યારે ખરી પડે તેવી સ્થિતિમાં છે. જે માટે પહેલા પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ જ્યાં રહે છે એ હોસ્ટેલમાં જો આવા હાલ હોય તો ગમે ત્યારે વિદ્યાર્થીઓના જીવને જોખમ પણ રહેલું છે.

સદનસીબે છતના પોપડા પડવાની ઘટનામાં કોઈપણ વિદ્યાર્થીને ઇજા પહોંચી નથી. પરંતુ ભવિષ્યમાં આ ઘટના ન બને તેની જવાબદારી યુનિવર્સીટી તંત્રની છે. આ ઉપરાંત અન્ય પ્રશ્નો પણ એવા છે જેના પર યુનિવર્સીટી સંચાલકોએ ધ્યાન આપવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે આટલા બધા પ્રશ્નોનું હજુ નિરાકરણ નાં આવી રહ્યું હોય તો વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરતા હશે. અને કેવી રીતે પોતાની જરૂરીયાત પૂરી કરતા હશે ટે વિચારવું રહ્યું.

આ પણ વાંચો: ન્યુમોનિયા થયા બાદ Naseeruddin Shahને હોસ્પિટલમાં કર્યા દાખલ, જાણો હવે કેવી છે અભિનેતાની હાલત

આ પણ વાંચો: શું ખરેખર અર્ચના પુરન સિંહે છોડી દીધો ‘The Kapil Sharma Show’? અભિનેત્રીએ આપ્યો જવાબ

Follow Us
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
g clip-path="url(#clip0_868_265)">