AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vapi : વાપીના વિકાસનો સાક્ષી બનશે 100 ફૂટ ઊંચો તિરંગો, 13 ઓગસ્ટે હર ઘર તિરંગા હેઠળ તૈયારીઓ શરૂ

આઝાદીના (Freedom )અમૃત મહોત્સવ અંતર્ગત આ વખતે રાષ્ટ્રીય દિવસની ઉજવણી પણ વિશેષ બનવા જઈ રહી છે. પીએમ મોદી દ્વારા હર ઘર તિરંગાની જે મુહિમ કરવામાં આવી છે, તેમાં પણ લોકો ખુબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે

Vapi : વાપીના વિકાસનો સાક્ષી બનશે 100 ફૂટ ઊંચો તિરંગો, 13 ઓગસ્ટે હર ઘર તિરંગા હેઠળ તૈયારીઓ શરૂ
Finance Minister Kanu Desai (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 9:47 AM
Share

વાપી (Vapi ) શહેરના સાંકડા રસ્તાઓને પહોળા કરવા માટે વીજ કંપનીની નડતરરૂપ ઓવરહેડ (Overhead )વીજ લાઇનને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવાની કામગીરી થઇ છે. જેના ભાગરૂપે વાપી પાલિકાના વિવિધ વિસ્તારના 220 કે.વી. બલીઠા સ્ટેશનમાંથી નીકળતા વાપી 01 ફીડર અને 66 કે.વી. ચંડોર સબ સ્ટેશનમાંથી નીકળતા ખડકલા ફીડરની કુલ 2.891 કિમી ઓવરહેડ હાઇટેન્સન લાઇનોનું 7.394 કિમી અંડર ગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવાના કામનું ખાતમૂર્હુત વાપી પાલિકા પાસેના સરદાર ચોક ખાતે રવિવારે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિલ્ક્ય મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું.

વીજ પોલ દૂર થશે : કનુ દેસાઈ

કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું. કે, વાપીને સુંદર શહેર બનાવવા માટે વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરાઇ રહી છે, રસ્તા પહોળા બની રહ્યા છે. વીજ પોલ પણ હવે દૂર થશે જેથી વધુમાં વધુ વૃક્ષારોપણ કરી વાપીને સુંદર શહેર બનાવી શકીશું. ડાભેલથી વાપી સુધીના આરસીસી રસ્તા પર ભારે વરસાદમાં પણ હજુ સુધી ખાડા પડ્યા નથી, એ જ રીતે ચાર રસ્તાથી ક૨વડ સુધીનો રસ્તો પણ આરસીસી બનવા જઇ રહ્યો છે. સાથે ડ્રેનેજ લાઇન પણ પણ બનશે જેથી ચલામાં કોઇપણ દિવસ પાણી ભરાવાની સમસ્યા રહેશે નહીં. વીઆઇએ ચાર રસ્તાથી બિલખાડી સુધી રૂ. 30 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવા જઇ રહ્યા છે. જેને કારણે સમગ્ર વાપીમાં પાણીનો ભરાવો થશે નહીં.

વાપીમાં લહેરાશે 100 ફૂટ ઊંચો તિરંગો

પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહે જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વખતે રાષ્ટ્રીય દિવસની ઉજવણી પણ વિશેષ બનવા જઈ રહી છે. પીએમ મોદી દ્વારા હર ઘર તિરંગાની જે મુહિમ કરવામાં આવી છે, તેમાં પણ લોકો ખુબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે, આગામી તારીખ 13 ઓગસ્ટે સવારે 9 કલાકે મંત્રી કનુભાઇના હસ્તે 100 ફૂટ ઉંચો તિંગો ફરકાવવામાં આવશે. જે તિરંગો વાપીના વિકાસનો સાક્ષી બનશે. પાલિકાના ઉપપ્રમુખ અભય શાહે કહ્યું કે, પાલિકાના 44 સભ્યોએ સર્વાનુમતે મંત્રીશ્રી કનુભાઇ દેસાઇને અભિનંદનનો પ્રસ્તાવ પસાર કર્યા છે, મંત્રીના માર્ગદર્સંવાહનથી અત્યારસુધી 300 થી 400 કરોડ રૂપિયાના પ્રકલ્પો સાકાર થઇ રહ્યા હોવાનું તેમજ વાપીના વિકાસમાં તેમનુ યોગદાન મહત્વનું હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">