Valsad: ઉમરગામના એક પરિવારે પોતાના દીકરાને મોત બાદ પણ જીવંત રાખ્યો, અંગ દાનથી 3 લોકોને જિંદગી આપી

તબીબોના અનેક પ્રયાસો બાદ પણ યશ ભાનમાં આવ્યો નહતો. જેથી છેવટે તેના જીવવાની આશા ભાંગી પડી હતી.આથી હરિયા હોસ્પિટલના મુખ્ય તબીબે યશના પરિવારજનો જોડે ઓર્ગન ડોનેટ (organ donation) કરવા વિષે વાત કરી હતી.

Valsad: ઉમરગામના એક પરિવારે પોતાના દીકરાને મોત બાદ પણ જીવંત રાખ્યો, અંગ દાનથી 3 લોકોને જિંદગી આપી
Yash Varma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 8:38 AM

મૃત્યુ બાદ જીવન આમ તો અસંભવ છે, પરંતુ વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામના એક પરિવારએ પોતાના દીકરાને મોત (death) બાદ પણ જીવંત રાખ્યો છે. વાત એમ છે કે મૂળ ઉત્તરપ્રદેશના અને વર્ષોથી ઉમરગામ સ્થાઈ થયેલા યશ વર્મા નામનો યુવાન મહારાષ્ટ્રના બોરડી ખાતે પોતાની દુકાન વધાવીને ઘરે પરત થઈ રહ્યો હતો. એ દરમિયાન ઉમરગામ કોસ્ટલ હાઇવે ઉપર તેને અકસ્માત નડ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યશને વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.પરંતુ તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું બ્રેન ડેડ થઇ ગયું હતું.

તબીબોના અનેક પ્રયાસો બાદ પણ યશ ભાનમાં આવ્યો નહતો. જેથી છેવટે તેના જીવવાની આશા ભાંગી પડી હતી.આથી હરિયા હોસ્પિટલના મુખ્ય તબીબે યશના પરિવારજનો જોડે ઓર્ગન ડોનેટ (organ donation) કરવા વિષે વાત કરી હતી અને તેના પરિવારજનો પણ માની ગયા કે તેમના દીકરાના અંગોથી કોઈને જિંદગી મળી શકશે અને કોઈ વ્યક્તિમાં તેમનો દીકરો જીવંત રેહશે.

અંગદાન માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આજે ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ વચ્ચે ગ્રીન કોરીડોર બનાવીને યશની બન્ને કીડની અને લીવર અમદાવાદ મોકલવામાં આવ્યું હતું. પોતાના નાનકડા બાળકો છે અને પરિવારને નાની ઉમરમાં અલવિદા કરી ગયેલા યશની ખોટ તો પરિવારમાં કોઈ પૂર્ણ કરી શકશે નહિ. યશના પરિવારને ખુબ મોટો આઘાત લાગ્યો છે અને નાનપણથી પરિશ્રમ કરી સારા વ્યવસાય સુધી પહોંચનારા યશની વિદાયથી પરિવાર દુઃખના સમુંદરમાં ગરકાવ થઇ ગયો છે. પરંતુ તેના પરિવારને ખુશી છે કે મૃત્યુ બાદ પણ યશના અંગથી અન્ય કોઈને જીવન મળશે અને તેમનો વ્હાલો કોઈના શરીરમાં જીવંત રહેશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

બસ પરિવારજનોની માંગ છે કે તેના ઓર્ગન કોને ડોનેટ કરવાના છે તેની તેમણે જાણ થાય અને એ વ્યક્તિને તેઓ મળી શકે. આમ દુનિયાના અલવિદા કરનારા યશએ ૩ લોકોને જિંદગી આપી છે.

આ પણ વાંચોઃ દૂધસાગર ડેરીના કાર્યક્રમમાં ઋષિકેશ પટેલે વિપુલ ચૌધરી પર પ્રહારો કરતાં કહ્યું કે જેના ઘર કાચના હોય તેણે સિમેન્ટના મકાન પર પથ્થર ન મારવા જોઈએ

આ પણ વાંચોઃ રેલવે મુસાફરો ધ્યાન રાખે, સૌરાષ્ટ્રનો રેલ વ્યવહાર 2 મે સુધી ખોરવાયેલો રહેશે

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">