VALSAD : પશ્ચિમ રેલવે દ્વારા ઉમરગામ અને મહેસાણા વચ્ચે સ્પેશીયલ ટ્રેન દોડાવવામાં આવશે

આ ટ્રેન વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને ગાંધીનગર પાટનગર સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે.

VALSAD : પશ્ચિમ રેલવે દ્વારા ઉમરગામ અને મહેસાણા વચ્ચે સ્પેશીયલ ટ્રેન દોડાવવામાં આવશે
A special train will run between Umargam and Mehsana by the Western Railway
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 6:05 PM

VALSAD : મુસાફરોની સુવિધા અને માંગણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ ઉમરગામ અને મહેસાણા વચ્ચે ગાંધીનગર કેપિટલ થઈને દૈનિક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.આ ટ્રેન વિશેષ ભાડા પર સંપૂર્ણ આરક્ષિત વિશેષ ટ્રેન હશે.

ડિવિઝનલ રેલ્વે પ્રવક્તા અમદાવાદના જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

ટ્રેન નંબર 09471/09472 ઉમરગામ – મહેસાણા સ્પેશિયલ ટ્રેન [દૈનિક] (26 ટ્રીપ્સ) ટ્રેન નંબર 09471 ઉમરગામ – મહેસાણા સ્પેશિયલ ઉમરગામથી દરરોજ 05:50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 14:40 કલાકે મહેસાણા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09472 મહેસાણા – ઉમરગામ સ્પેશિયલ દરરોજ 16:30 કલાકે મહેસાણાથી ઉપડશે અને બીજા દિવસે 01:30 કલાકે ઉમરગામ પહોંચશે. આ બંને ટ્રેનો 04 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી 2022 સુધી ચાલશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ ટ્રેન વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને ગાંધીનગર પાટનગર સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ હશે.

ટ્રેન નંબર 09471 અને 09472 માટે બુકિંગ 22મી ડિસેમ્બર, 2021થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

મુસાફરો આ ટ્રેનોના સ્ટોપેજ, ઓપરેટિંગ સમય, રચના, આવર્તન અને સંચાલનના દિવસો સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.  નોંધનીય છે કે આ વિશેષ ટ્રેનોમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.  વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને SOPsનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો : GANDHINAGAR : પેપરલીક મામલે કોંગ્રેસ ધારાસભ્યો CMને મળ્યા, અસિત વોરાના રાજીનામાની માંગ કરી

આ પણ વાંચો : VADODARA : SSG હોસ્પિટલની સરકારી માયક્રોબાયોલોજી લેબમાં 3 લાખથી વધુ RTPCR ટેસ્ટ થયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">