કોરોનાના સમયમાં પણ લોકો સુધરવાનું કે સમજવાનું નામ નથી લઇ રહ્યા. સરકાર હોય કે સ્થાનિક તંત્ર, સોશ્યલ ડીસ્ટન્સ માટે સમજાવીને થાકી ગયા પરંતુ અમુક લોકોએ આ નિયમોના નામનું નાહી નાખ્યું છે. વાત છે વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાની તો અહિયાં આવેલા હાટમાં એટલી ભીડ હતી કે જાણે કોરોના કોઈ દિવસ આવ્યો જ કેમ ના હોય? અડધા ઉપરાંતના ભણેલા અભણ લોકોએ તો માસ્ક પણ નોહ્તું પેહર્યું, ત્યારે આવા ભીડ જમાવતા અને સંક્રમણને નોતરું આપતા બજારોને તંત્ર એ તાળા મારી દેવાની જરૂર છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો