પાદરાના કરખડી ગામના ખેડૂતોની આંદોલનની ચીમકી, કેનાલ માટે ગયેલી જમીનનું વળતર ચુકવવા માગ
વડોદરાના પાદરાના કરખડી ગામના ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.તેમનો આરોપ છેકે, નર્મદા નિગમની કેનાલ માટે ગયેલી જમીનનું વળતર ચુકવાયું નથી. 168 ખેડૂતોમાંથી માત્ર 30 ખેડૂતોને નાણાં ચૂકવ્યા હતા. જે બાદ બીજા ખેડૂતોને નાણાં નહીં ચૂકવતા દેખાવો કરી આંદોલનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. ખેડૂતોએ ગામમાં નર્મદા નિગમ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અને હજુ પણ નાણા નહીં […]
Follow us on
વડોદરાના પાદરાના કરખડી ગામના ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.તેમનો આરોપ છેકે, નર્મદા નિગમની કેનાલ માટે ગયેલી જમીનનું વળતર ચુકવાયું નથી. 168 ખેડૂતોમાંથી માત્ર 30 ખેડૂતોને નાણાં ચૂકવ્યા હતા. જે બાદ બીજા ખેડૂતોને નાણાં નહીં ચૂકવતા દેખાવો કરી આંદોલનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. ખેડૂતોએ ગામમાં નર્મદા નિગમ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અને હજુ પણ નાણા નહીં ચુકવાય તો, કલેક્ટર કચેરીના બહાર આંદોલન કરવાની તૈયારી દર્શાવી છે.