AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: બે દિવસથી ગુમ થયેલા ઈસમનો તરસાણા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો, જુઓ Video

પતિ અને પત્ની વચ્ચે જ્યારે વો એટલે કે ત્રીજા વ્યક્તિની આવવાની ઘટના બની છે. ત્યારે તેનો અંત ઘાતક આવ્યો છે. આવું જ કંઈક બન્યું છે વડોદરાના ડભોઇમાં જ્યાં પ્રણય ત્રિકોણમાં હત્યાની ઘટના બની.

Vadodara: બે દિવસથી ગુમ થયેલા ઈસમનો તરસાણા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો, જુઓ Video
Tushar Kodekar
| Edited By: | Updated on: Jun 09, 2023 | 10:53 PM
Share

Vadodara:  ડભોઇ તાલુકાના પણસોલી વસાહતના છેલ્લા બે દિવસથી ગુમ થયેલા ઇસમનો તરસાણા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો હતો. ડભોઈમાં બનેલી આ ઘટના હત્યા છે કે પછી આત્મહત્યા તેની તપસ હાથ ધરાઈ છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વસઈ ગામના જ ઇસમે પ્રેમ પ્રકરણ લઈને તેની હત્યા કરવામાં આવી હતી તેનો ભેદ ખુલ્યો છે.

ડભોઈ પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ તાલુકાના પણસોલી વસાહત ગામનો રવિ નાયક છેલ્લા બે દિવસથી ગુમ હતો, ઘર પરિવાર દ્વારા તેની શોધખોળ કરતા હતા. દરમિયાન બીજા દિવસે સાંજે તરસાણા ગામની સીમમાંથી તેની લાશ મળી આવી હતી. બનાવ અંગે પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં પેનલ ડૉક્ટરો દ્વારા પીએમ કરવામાં આવ્યુ હતુ. જેમાં તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

મૃતકના પીએમ બાદ સમગ્ર માહિતી ખુલતા ડીવાયએસપી આકાશ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈએસ જે વાઘેલાએ ટેકનોલોજી સોર્સથી પોલીસે તાત્કાલિક આગળની તપાસ હાથ ધરતા વસઈ ગામના વિષ્ણુભાઈ લાલજીભાઈ રાઠોડીયા રવિની પત્ની સાથે પ્રેમ પ્રકરણને શંકા કરી તપાસ કરવા ગયા. તે દરમિયાન વિષ્ણુએ રવિને ગડદા પાટુનો માર મારી તેની હત્યા કરવામાં આવી હતી તેવુ આરોપીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું.

આ પણ વાંચો : રવાપરા ગ્રામીણ વિસ્તારમાં 12 માળની ઇમારતને અપાયેલી મંજૂરી રદ કરાઈ

પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાની ધરપકડ કરી કલમ 302, 323, 506 (2) મુજબનો ગુનો દાખલ કરી હત્યારાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અહી ફરી એકવાર આડાસંબંધનો કરૂણ અંજામ આપ્યો એક નિર્દોષ પતિનો જીવ હણાયો.

 વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">