વડોદરાના કરજણમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો છે. કરજણના સંતોષનગર અને જલારામનગર વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો સામે આવ્યાં છે. આ વિસ્તારમાં બાળકો સહિત 15 જેટલા લોકોને ઝાડા ઉલ્ટીની અસર થઇ હતી. આ તમામ દર્દીઓને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી છે.
આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં આવેલા આ તળાવમાં પાણીના બદલે ભરાઈ છે કચરો, તળાવના નવીનીકરણની વાતો કાગળ પર
મહત્વપુર્ણ છે કે જલારામનગર અને સંતોષનગરમાં પાછલાં કેટલાક દિવસોથી દૂષિત પાણીની સમસ્યા ઉભી થઈ હતી. આ મામલે કરજણ નગરપાલિકાના સત્તાધીશોને રજુઆત પણ કરવામાં આવી હતી. જોકે પાલિકાના બહેરાં કાને રજુઆત ન પહોચતાં આ વિસ્તારના લોકોને રોગનો ભોગ બનવાનો વારો આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો