VADODARA : શહેરી સુખાકારી દિવસમાં 62.59 કરોડના વિકાસકામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત, VMCને મળ્યું 91 કરોડનું ભંડોળ

|

Aug 08, 2021 | 1:29 PM

Shaheri Jansukhakari Divas : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) એ અમદાવાદ ખાતે રાજ્યસ્તરના કાર્યક્રમના સ્થળેથી વડોદરા મહાનગર પાલિકા આયોજિત રૂ.62.59 કરોડના વિકાસકામો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

VADODARA : શહેરી સુખાકારી દિવસમાં 62.59 કરોડના વિકાસકામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત, VMCને મળ્યું 91 કરોડનું ભંડોળ
Vadodara : Dedication of 62.59 crore development works in Shaheri Jansukhakari Divas

Follow us on

Vadodara : 5 વર્ષ આપણી સરકારના,સૌના સાથથી સૌના વિકાસના અભિયાન હેઠળ વડોદરા મહાનગર પાલિકા (Vadodara Municipal Corporation- VMC) દ્વારા સયાજીનગર ગૃહમાં આયોજિત શહેરી જન સુખાકારી સેવા યજ્ઞ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) એ અમદાવાદ ખાતે રાજ્યસ્તરના કાર્યક્રમના સ્થળેથી વડોદરા મહાનગર પાલિકા આયોજિત રૂ.62.59 કરોડના વિકાસકામો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

આ સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ (Gujarat Municipal Finance Board) ના ઉપક્રમે રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગર પાલિકાઓને ઓનલાઇન રૂ.1 હજાર કરોડના ચેકનું વિકાસકામો માટે વિતરણ કર્યું જેમાં વડોદરાને રૂ.91 કરોડનું ભંડોળ વિકાસ માટે મળ્યું હતું.

આજે વડોદરા મહાનગર પાલિકાને રાજ્ય સરકાર જન સુખાકારી વધારવાના કામો માટે રૂ.91 કરોડનો ચેક આપશે તેવી જાણકારી આપતાં મેયરશ કેયુર રોકડીયાએ જણાવ્યું કે આપણે સ્માર્ટ શહેરી વિકાસની દિશામાં આગળ વધી રહ્યાં છીએ જેના હેઠળ બાંધકામના કાટમાળનું રિસાયક્લિંગ, ઇન્ટીગ્રેટેડ પરિવહન પ્રણાલી, ડ્રેનેજમાં માઇક્રોટનલીંગ,સ્વચ્છતા જાળવણીમાં નવા આયામો સહિતની અનેકવિધ પહેલો કરવામાં આવી રહી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

વડોદરા મહાનગર પાલિકા દ્વારા ચાર શહેરી ઝોનમાં 50 પથારીની ચાર નવી હોસ્પિટલોના નિર્માણ, ચાર મુખ્ય રસ્તાઓના નવીનીકરણ, 75 શહેરી વિવિધ વિકાસ આયોજનોની તેમણે જાણકારી આપી હતી.

રાજ્યની મહાનગર પાલિકાઓ અને નગર પાલિકાઓ દ્વારા લોક સુવિધા વધારી શકાય તે માટે રાજ્ય સરકાર સતત નાણાંકીય પીઠબળ આપે છે એવી લાગણી સાથે શહેરી જન સુખાકારી દિવસ સેવા યજ્ઞમાં સહુને આવકારતા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે આજે પણ મુખ્યપ્રધાન દ્વારા ઓનલાઇન વડોદરા મહાનગર પાલિકા વિસ્તારના અંદાજે રૂ.62.59 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાઈ રહ્યું છે. અમે વડોદરા શહેરના વિકાસ માટે કટિબદ્ધ છીએ.

આ પ્રસંગે વડોદરામાં મહિલાઓ અને બાળકો માટેની અલાયદી હોસ્પિટલ બનાવવા ના રાજ્ય સરકારના સંવેદનાસભર આયોજન માટે ધન્યવાદ આપતાં સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું કે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પાંચ વર્ષથી લોકોની વચ્ચે રહીને કામ કરી રહ્યાં છે અને વડોદરાના લોકોની જરૂરિયાતો ધ્યાનમાં લઈને વિકાસ આયોજનોનો લાભ આપ્યો છે.

આ પણ વાંચો : Surat : હવામાંથી પ્રતિ મીનિટે 500 લિટર ઓક્સિજન ઉત્પાદન કરતા ત્રણ પ્લાન્ટ કાર્યરત કરાયા

આ પણ વાંચો : AHMEDABAD : રૂપાણી સરકારના પાંચ વર્ષ, આજે શહેરી સુખાકારી દિવસની ઉજવણી, 5001 કરોડના વિકાસકામોનો શુભારંભ-લોકાર્પણ

Next Article