ઉત્તરાયણની રાત્રે પાટણના ચાણસ્માના પાંજરાપોળમાં આગ લાગવાની ઘટના બની હતી. ચાઈનીઝ તુક્કલના કારણે પાંજરાપોળમાં આગ લાગી હતી. ત્યારે આગ લાગતા જ ફાયર વિભાગને જાણ કરતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ત્યારબાદ ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઉલ્લેખનીય છે કે ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં ઘણા લોકો ખાનગી રીતે તેનું વેચાણ કરતા હોય છે. ત્યારે ચાઈનીઝ દોરી અને તુક્કલના કારણે મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. આ આગની ઘટનામાં કોઈને પણ કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો