સુરતમાં આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં કેન્દ્રિય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાની હાજર રહ્યા હતા. “વી સપોર્ટ સી.એ.એ” વિષય સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા સ્મૃતિ ઈરાનીએ સીએએ મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.
આ પણ વાંચો: VIDEO: મોબાઈલના વળગણ વચ્ચે પારંપારિક રમતો જીવંત કરવા જામનગરમાં યોજાયો અનોખો કાર્યક્રમ
તેમણે વિપક્ષ પર CAA મુદ્દે ખોટા ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો સાથે જ કહ્યું કે, વિપક્ષ હિન્દુ અને શીખ વિરોધી તો હતી જ. પણ હવે તેઓ ખ્રીસ્તીઓના પણ વિરોધી થઈ ગયા છે. તેમણે આક્ષેપ કર્યો કે, રાહુલ ગાંધી કાયદાને વાંચ્યા વિના જ વિરોધ કરી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, વિપક્ષ ભલે ગમે તેટલો વિરોધ કરે પરંતુ સરકાર પોતાના નિર્ણયમાં ટસથી મસ નહીં થાય.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો