ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 69 થયો છે. તો ભાવનગરમાં વધુ એક મહિલાનું મોત થયું છે, જેથી ગુજરાતમાં કોરોનાના કારણે મોતનો આંક 6 પર પહોંચ્યો છે.
શહેર પ્રમાણે કોરોના પોઝિટિવ દર્દીઓની સ્થિતિ જોઇએ તો અમદાવાદમાં 23, સુરતમાં 8, રાજકોટમાં 9, વડોદરામાં 9, ગાંધીનગરમાં 9 અને ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2, કચ્છ, મહેસાણા અને પોરબંદરમાં એક-એક પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. 69માંથી 59 લોકોની તબિયત સ્થિર છે જ્યારે 2 લોકો વેન્ટિલેટર પર છે. 2 લોકો સારવાર બાદ સાજા થયા છે તેમને રજા આપવામાં આવી છે પરંતુ તેઓ પણ નજર હેઠળ રહેશે. ગુજરાતમાં 18 હજારથી વધુ લોકો ક્વૉરેન્ટાઈનમાં છે, જેમાં 644 લોકોને સરકારી ક્વોરન્ટાઇનમાં મુકવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 7:02 am, Mon, 30 March 20