મતગણતરીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિકે કોંગ્રેસની હારને હાર્દિક પટેલે આઘાતજનક ગણાવી. અને આ હાર કોંગ્રેસની હાર નહિ પરંતુ બેરોજગારી, ખેડૂતો અને શિક્ષણની હાર હોવાનું કહી ભાજપ પર પ્રહાર કર્યા. મહત્વનું છે કે હાર્દિક પટેલ ચૂંટણી લડવા માગતો હતો. તો બીજી તરફ તેને હાઈકોર્ટે હાર્દિકને રાહત આપી નહોતી. જે બાદ કોંગ્રેસે હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક પણ બનાવ્યો હતો. હાર્દિકને એક હેલિકોપ્ટર પણ આપવામાં આવ્યું હતું.
कांग्रेस नहीं…
बेरोज़गारी हारी हैं, शिक्षा हारी हैं, किसान हारा हैं, महिला का सम्मान हारा हैं, आम जनता से जुड़ा हर मुद्दा हारा हैं, एक उम्मीद हारी हैं, सच कहे तो हिंदुस्तान की जनता हारी हैं।कांग्रेस के सभी कार्यकर्ता की लड़ाई को सलाम करता हूँ।लड़ेंगे और जीतेंगे।जय हिंद— Hardik Patel (@HardikPatel_) May 23, 2019
https://youtu.be/7b6z4RcldFU
હાર્દિકના પ્રચારને લઈને કોંગ્રેસને કેટલો ફાયદો થશે તે ચર્ચાઓ ચાલી રહી હતી. પણ પરિણામો સામે આવી રહ્યા છે તે પછી લાગી રહ્યું છે કે હાર્દીકનો જાદૂ ચાલ્યો નથી. હાર્દિકે લગભગ ગુજરાતની તમામ બેઠક સહિત દેશના અન્ય રાજ્યમાં પણ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો.
Published On - 8:29 am, Thu, 23 May 19