જૂનાગઢમાં વંથલી અને સાંતલપુરને જોડતા રસ્તાને લઈને વિવાદ સર્જાયો છે. આ રોડના કામને લઈને લોકોએ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. જવાહર ચાવડા અંગત માણસોને ફાયદો કરાવતા હોવાનો આક્ષેપ થયો છે.
લોકોનો આક્ષેપ છે કે, જવાહર ચાવડા જ્યારે કોંગ્રેસમાં હતા. તે દરમિયાન વંથલી-સાંતલપુર વચ્ચે જે રસ્તો બનાવવાની દરખાસ્ત મંજૂર થઈ હતી. તે નોન પ્લાન્ટના રસ્તાને બદલવાની તેમણે દરખાસ્ત કરી હતી. હવે તેઓ પોતાના અંગત માણસોના ખેતર નજીકથી રસ્તો લેવડાવે છે. જેથી તેમને ફાયદો થાય. લોકોનો આક્ષેપ છે કે, આ રોડ વગર કામનો છે. કેમ કે આ રસ્તો ગામડાઓને જોડતો જ નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો