છેલ્લા બે દિવસમાં ભૂકંપના 15 આંચકાઓ આવ્યા છે. નાના નાના ભૂકંપના આચંકાઓ આવવા માટે, ભૂકંપ અનુસંધાન કેન્દ્રનુ કહેવુ છે કે, ભારે માત્રામાં વરસેલા વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. 15 વર્ષના સંશોધનથી કહી શકાય કે, આહીયા કોઈ મોટી ફોલ્ટ લાઈન નથી. એવરેજ કરતા વધુ માત્રામાં વરસાદ થાય તો આ સ્થિતિ સર્જાય છે. જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, પોરબંદરમાં આ સ્થિતિ વધુ છે. ઓગસ્ટથી ફેબ્રુઆરી દરમિયાન 4થી નીચેના ભૂકંપના આંચકાઓ આવે છે. મુખ્યત્વે તો માત્ર 2ની જ તીવ્રતાનો ભૂકંપ આવે છે. સૌથી વધુ ભૂકંપના આંચકાઓ તલાલા વિસ્તારમાં આવે છે. આ સ્થિતિ જ્યારે પણ સરેરાશ કરતા વધુ વરસાદ વરસે ત્યારે તે વર્ષમાં આ સ્થિતિ સર્જાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો