દેશમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ(Women ) માટે કેટલાક ખરાબ સમાચાર(Bad News ) છે. ફેબ્રુઆરી 2022 માં, દેશનું સૌથી મોટું માનવસર્જિત ફેબ્રિક (MMF) નું હબ ગણાતા સુરતમાં બનતી ઓછી કિંમતની સાડીઓ વધુ મોંઘી બનશે. કારણ કે કેન્દ્ર સરકારના નોટિફિકેશનમાં કોટન યાર્ન અને કોટન સિવાયના તમામ ટેક્સટાઇલ ગુડ્સ છે, જે 12% GST દર હેઠળ 5% ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ચાલુ રાખશે, જેનાથી ઈનવર્ટેડ ડ્યુટી માળખું દૂર થશે.
જેમાં ફાઈબર પર 18% GST, યાર્ન પર 12% GST, ફેબ્રિક પર 5% GST અને 12% GST દર હેઠળ કપડા પર 1,000 રૂપિયા પ્રતિ નંગના દરે રાખવામાં આવ્યા છે. 1,000 થી વધુ કિંમતના વસ્ત્રો પર 5% GST અને 1,000 થી વધુ કિંમતના કપડાં પર 12% GST 1 જાન્યુઆરી, 2022 થી શરૂ થશે.
ટેક્સ્ટાઇલ ઉદ્યોગના અગ્રણીઓના જણાવ્યા અનુસાર, સુરતની ઓછી કિંમતની સાડીઓની જથ્થાબંધ કિંમતો રૂ. 120 થી રૂ. 150 પ્રતિ નંગ સુધીની હતી. ફેબ્રિક પર GST દર 5% થી વધારીને 12% કરવાના સરકારના નિર્ણયથી ઓછી કિંમતની સાડીઓની કિંમતમાં 180-200 રૂપિયા પ્રતિ નંગનો વધારો થશે એટલે કે સીધો રૂ. 50 નો વધારો. જ્યારે તે અંતિમ વપરાશકારો-મહિલાઓ સુધી પહોંચે છે ત્યારે તે જ સાડીઓની કિંમત પ્રતિ નંગ રૂ. 220 થી રૂ. 250 વચ્ચે હશે.
સુરતમાં પાવરલૂમ વણાટ ઉદ્યોગના લીડર મયુર ગોલવાલાએ જણાવ્યું હતું કે, “પાવરલૂમ વીવર્સ સમગ્ર MMF 65% છે. MMF સેક્ટરમાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરને દૂર કરવા માટે કોઈપણ રજૂઆત વિના, સરકારે GST માળખું એકસમાન બનાવવાનું નક્કી કર્યું. જો સરકારને રેવન્યુની ખોટ થઈ રહી હોય તો ટેક્સ રેટ વધારવામાં અમને કોઈ સમસ્યા નથી. પરંતુ, GST ટેક્સ દરમાં વધારા અંગે કેન્દ્ર સરકારને ખોટી રજૂઆત કરી હોવાનું જણાય છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે “પાવરલૂમ ઉદ્યોગ નવા ટેક્સ રેટના અમલીકરણ સાથે કાર્યકારી મૂડીની સમસ્યાઓનો સામનો કરવા તૈયાર છે. ટેક્સ રેટમાં ફેરફાર છેલ્લા બે વર્ષથી GST ફાઇલિંગની સરળ કામગીરીમાં ખલેલ પહોંચાડશે. માલસામાન 60-90 દિવસની ક્રેડિટ પર વેચવામાં આવે છે અને વણકરોએ દર મહિને 12%ના વધારાના ટેક્સ દર સાથે રિટર્ન ફાઇલ કરવાનું રહેશે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું છે કે “ટેક્સ ઓથોરિટીએ કેન્દ્ર સરકારને GST રેવન્યુ પર ખોટું ચિત્ર બતાવ્યું હોય તેવું લાગે છે. 5% ટેક્સ દરથી બરાબર છે અને તેને વધારીને 12% કરવાની કોઈ જરૂર નથી. અમે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાણા મંત્રાલયને આ નોટિફિકેશનને રદ કરવા માટે રજૂઆત કરી છે.
તેમને ઉમેર્યું હતું કે “સુરત તેની ઓછી કિંમતની સાડીઓ માટે જાણીતું છે જે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને પણ વેચે છે. જોકે હવે વીવર્સ અને વેપારીઓએ અંતિમ વપરાશકાર સુધી વધારો કરવો પડશે. આ રીતે, ગ્રામીણ મહિલાઓ માટે ઓછી કિંમતની સાડીઓ વધુ મોંઘી થશે.
આ પણ વાંચો : AHMEDABAD :જાસપુરમાં આજથી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર ‘વિશ્વ ઉમિયાધામ’ના નિર્માણ કાર્યનો પ્રારંભ
આ પણ વાંચો : સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું “પોલીસને આ રીતે આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી”