Cow Killings : જે દિવસે ગૌહત્યા બંધ થશે તે દિવસથી ધરતીની સમસ્યાઓનો અંત આવશે, તાપી કોર્ટના જજએ કરી ટિપ્પણી

|

Jan 24, 2023 | 12:41 PM

ગુજરાતના એક જિલ્લાના કોર્ટે પરવાનગી વગર ગાયોની ગેરકાયદેસર હેરફેરના કેસમાં એક યુવકને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આ મામલામાં ચુકાદો આપતા કહ્યું કે જ્યાં ગાયો ખુશ હોય છે ત્યાં પૈસા અને સંપત્તિ મળે છે. જ્યાં ગાય દુ:ખી રહે છે ત્યાં પૈસા અને સંપત્તિ દુ:ખી રહે છે અને તેના પાસેથી ચાલી જાય છે.

Cow Killings : જે દિવસે ગૌહત્યા બંધ થશે તે દિવસથી ધરતીની સમસ્યાઓનો અંત આવશે, તાપી કોર્ટના જજએ કરી ટિપ્પણી
જે દિવસે ગૌહત્યા બંધ થશે તે દિવસથી ધરતીની સમસ્યાઓનો અંત આવશે
Image Credit source: Google

Follow us on

ગુજરાતના તાપી જિલ્લાની એક અદાલતે મહારાષ્ટ્રમાંથી ગેરકાયદેસર રીતે પશુઓની હેરફેર કરવા બદલ 22 વર્ષીય યુવકને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આ મામલામાં ચુકાદો આપતા કહ્યું કે, જે દિવસે ગાયના લોહીનું એક ટીપું પૃથ્વી પર નહીં પડે તે દિવસથી પૃથ્વીની તમામ સમસ્યાઓ દૂર થશે.

કેસમાં ચુકાદો આપતા કોર્ટે જણાવ્યું

નવભારત ટાઈમ્સના અહેવાલ અનુસાર, સેશન્સ જજ એસ.વી.વ્યાસે જિલ્લા કોર્ટમાં જણાવ્યું હતું કે, ધર્મ ગાયમાંથી જન્મે છે, કારણ કે ધર્મ બળદના રૂપમાં હોય છે અને ગાયનો પુત્ર બળદ કહેવાય છે. મોહમ્મદ અમીન આરીફ અંજુમના કેસમાં ચુકાદો આપતા કોર્ટે આ જણાવ્યું હતું. મોહમ્મદ અમીન આરિફ અંજુમની જુલાઇ 2020માં ટ્રકમાં 16થી વધુ ગાયો અને વાછરડાઓને ગેરકાયદેસર રીતે પરિવહન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેઓને દોરડા વડે બાંધવામાં આવ્યા હતા, જેમાં ખોરાક કે પાણીની કોઈ સગવડ નથી.

સંસ્કૃત શ્લોક પણ વાંચ્યો હતો

બાર અને બેંચના અહેવાલ મુજબ, કોર્ટે એક સંસ્કૃત શ્લોક પણ વાંચ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જો ગાય લુપ્ત થઈ જશે તો બ્રહ્માંડનું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. વેદના તમામ છ ભાગની ઉત્પત્તિ ગાયને કારણે થઈ છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ગાયોને મારવી એ અસ્વીકાર્ય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગૌમૂત્રનો ઉપયોગથી અનેક અસાધ્ય રોગોનો ઈલાજ

આ સિવાય કોર્ટે ગાયના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે વિજ્ઞાને સાબિત કર્યું છે કે ગાયના છાણથી બનેલા ઘરો પરમાણુ રેડિયેશનથી પ્રભાવિત થતા નથી. ગૌમૂત્રનો ઉપયોગથી અનેક અસાધ્ય રોગોનો ઈલાજ છે. જસ્ટિસ એસવી વ્યાસે આ કેસમાં 26 પેજનો મોટો ચુકાદો આપ્યો છે.

‘ગાયના લોહીનું એક ટીપું પૃથ્વી પર નહીં પડે’

નવભારત ટાઈમ્સના અહેવાલ અનુસાર, ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું કે, ગાય માત્ર એક પ્રાણી નથી, પરંતુ તે માતા છે, તેથી જ તેનું નામ ગાય માતા રાખવામાં આવ્યું છે. ગાય જેવો ઉપકાર કોઈ કરી શકે નહિ. ગાય 68 કરોડ પવિત્ર સ્થાનો અને 33 કરોડ દેવતાઓ સાથે જોડાયેલી છે. જે દિવસે ગાયના લોહીનું એક ટીપું પૃથ્વી પર નહીં પડે તે દિવસે પૃથ્વીની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને પૃથ્વીનું કલ્યાણ થશે.

ગાય સુખી હોય છે ત્યાં પૈસા અને સંપત્તિ મળે

અન્ય એક અવલોકનમાં કોર્ટે કહ્યું કે આજના સમયમાં જે સમસ્યાઓ ઊભી થઈ છે તેનું કારણ ચીડિયાપણું અને ગરમ સ્વભાવ છે. તેનું એકમાત્ર કારણ ગાયોને મોતને ઘાટ ઉતારવી. જ્યાં સુધી તે સંપૂર્ણપણે બંધ ન થાય ત્યાં સુધી સાત્વિક આબોહવા પરિવર્તનની કોઈ અસર થઈ શકે નહીં. કોર્ટે કહ્યું કે જ્યાં ગાય સુખી હોય છે ત્યાં પૈસા અને સંપત્તિ મળે છે. જ્યાં ગાય દુ:ખી રહે છે ત્યાં પૈસા અને સંપત્તિ દુ:ખી રહે છે અને અદૃશ્ય થઈ જાય છે. ગાય રુદ્રની માતા છે, વસુની પુત્રી અને અદિતિપુત્રોની બહેન છે અને ધ્રુરૂપા અમૃતનો ખજાનો છે.

 

Next Article