સુરેન્દ્રનગરમાં નટવરગઢના ખેડૂતોનો હવે સરકાર સામે રોષ ભભુકી ઉઠ્યો છે. ખેતરમાં નેખાલા સોલાર વીજ લાઈનનું વળતર ન મળતા ખેડૂતો નારાજ થયા છે. ખેતરમાં ખોદકામ કરી સોલર વીજલાઈન નાખ્યાના ત્રણ વર્ષ બાદ પણ નુકસાનીના વળતરની ચુકવણી ન થઈ હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતોને ખેતીમાં ગયેલી નુકસાનીની ભરપાઈ પેટે સરકાર દ્વારા ચુકવવાનું થતુ વળતર ત્રણ વર્ષ બાદ ખેડૂતોને મળ્યુ નથી. આ ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે બહારની કંપનીએ તેમની જાણ બહાર ખેતરમાં ખઓદકામ કર્યુ હતુ. વીજલાઈન નાખવા માટે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા કે ના તો તેમને જાણ કરવામાં આવી હતી.
વળતર ન મળ્યા બાદ નુકસાની વેઠી રહેલા ખેડૂતો હવે કરો યા મરોની સ્થિતિમાં આવી ગયા છે અને કામ અટકાવી જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. ખેડૂતોએ હવે નિરાકરણ ન આવે તો ઈચ્છા મૃત્યુની માગ કરી છે.
Input Credit- Sajid Belim- Surendranagar
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો