
ઉનાળાની રજાઓ દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતના ઉધના અને બિહારના જયનગર વચ્ચે એક વિશેષ સાપ્તાહિક અનરિઝર્વ્ડ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
આ ટ્રેન “ઉધના-જયનગર-ઉધના સમર સ્પેશિયલ” (ટ્રેન નં. 09061/09062) તરીકે દોડશે અને મુસાફરોને સીધી અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ આપશે.
ટ્રેનનું સમયપત્રક જોઈએ તો..
તારીખો: 5 અને 12 એપ્રિલ, 2026
પ્રસ્થાન સમય: દર રવિવારે 01:30 વાગ્યે ઉધના પરથી
આગમન સમય: સોમવારે બપોરે 14:30 વાગ્યે જયનગર પહોંચશે
તારીખો: 6 અને 13 એપ્રિલ, 2026
પ્રસ્થાન સમય: સોમવારે સાંજે 17:30 વાગ્યે જયનગર પરથી
આગમન સમય: બુધવારે સવારે 06:15 વાગ્યે ઉધના પહોંચશે
કેટલા સ્ટેશનો પર રોકાણ?
આ ટ્રેન કુલ 5 રાજ્યોમાંથી પસાર થઈને 23 મહત્વના સ્ટેશનો પર રોકાશે. તેમાં ચલથાણ, બારડોલી, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિઓકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, દિલદારનગર, બક્સર, રઘુનાથપુર, આરા, પટના, બખ્તિયારપુર, મોકામા, બરૌની, સમસ્તીપુર, દરભંગા અને મધુબની જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે.
આ વિશેષ ટ્રેનમાં કુલ 22 જનરલ સેકન્ડ ક્લાસ કોચ રાખવામાં આવ્યા છે, જેથી સામાન્ય મુસાફરોને સરળતાથી મુસાફરી કરી શકાય.
રેલવે વહીવટીતંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મુસાફરી પહેલાં ટ્રેનની માહિતી જરૂર તપાસે. ટ્રેન સંબંધિત વિગતો નીચેના માધ્યમો દ્વારા મેળવી શકાય છે જેવી કે NTES (નેશનલ ટ્રેન એનક્વાયરી સિસ્ટમ), રેલ મદદ હેલ્પલાઇન (139), નજીકના રેલવે સ્ટેશન વગેરે.
ટ્રેનમાં દિલ જીતતી ઘટના, ટોયલેટ પાસે સૂઈ રહ્યા હતા CRPF જવાન