Surat: જરી ઉદ્યોગકારોએ જીઆઈ ટેગનો ઉપયોગ કરી માર્કેટીંગ કરવાનું તથા યુવા પેઢીને જરીની પ્રોડકટ બનાવવાનું શીખવવું પડશે: દર્શના જરદોશ

|

May 30, 2022 | 9:56 PM

સુરત જરીના (jari ) નામે દેશમાં અથવા વિદેશમાં કોઈ ઈમીટેશન નહીં કરી શકે તે જીઆઈ સર્ટિફિકેશન આપવા પાછળનો મુખ્ય હેતુ છે. જીઆઈ અંતર્ગત 417 પ્રોડકટ રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે.

Surat: જરી ઉદ્યોગકારોએ જીઆઈ ટેગનો ઉપયોગ કરી માર્કેટીંગ કરવાનું તથા યુવા પેઢીને જરીની પ્રોડકટ બનાવવાનું શીખવવું પડશે: દર્શના જરદોશ
Textile Minister Darshna Jardosh (File Image )

Follow us on

ભારત (India ) સરકારના કાપડ મંત્રાલયની ટેકસટાઇલ કમિટી, હેન્ડીક્રાફટ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને ધી સુરત જરી (Jari) મેન્યુફેકચરર્સ એસોસિએશનના ઉપક્રમે આજે ‘આઇપીઆર પ્રોટેકશન ઓફ યુનિક ટેકસટાઈલ્સ એન્ડ હેન્ડીક્રાફટેડ પ્રોડકટ્‌સ થ્રુ જીઆઇ એન્ડ પોસ્ટ જીઆઇ ઈનીશીએટીવ્સ’ વિષય ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના કેન્દ્રીય ટેકસટાઈલ્સ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ટેકસટાઈલ્સ કમિટીના સેક્રેટરી અજિત ચવાણ, ધારાસભ્ય અરવિંદ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ટેકસટાઈલ્સ રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે જરીના 18 ઉદ્યોગકારોને જીઆઇ સર્ટિફિકેટ આપવામાં આવ્યું

ટેકસટાઈલ કમિટી દ્વારા વર્ષ 2010થી જ સુરત જરીના જીઆઇ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે સંદર્ભે આજે નવા 18 ઓથોરાઇઝ યુઝર્સનો ઉમેરો કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન સમારોહ પછી ‘હાઉ ટુ લેવરેજ સુરત જરી ફોર બેનીફિટ ઓફ ઓલ વેલ્યુ ચેઇન એકટર્સ’ વિષય ઉપર બ્રેઈન સ્ટોર્મિંગ સેશન યોજાયું હતું. મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, જરી ઉદ્યોગકારો નવી મશીનરી, નવી ટેકનોલોજી, નવી ડિઝાઈનો, જરી આર્ટીસ્ટોની સ્કીલ અપગ્રેડેશન સાથે ઓનલાઈન માર્કેટીંગ ચેનલનો ઉપયોગ કરી વિશ્વભરમાં બ્રાન્ડ ડેવલપ કરવી જોઈએ.

જરીમાં વેલ્યુ એડિશન કરવું જરૂરી: દર્શના જરદોશ

સુરતમાં અલગ અલગ પ્રકારની જરીની પ્રોડકટ બને છે. જરી બનાવવા માટે ઘણી મહેનત લાગે છે અને એની પ્રોડકટ પણ ખૂબ જ મોંઘી હોય છે. તમિળનાડુ અને વારાણસી વગેરે અન્ય રાજયોમાં જવાનું થાય છે, ત્યારે ત્યાં ખબર પડે છે કે અહીં સુરતની જરી આવે છે. આથી જરી ઉદ્યોગને ડેવલપ કરવો પડશે. જેમ કાશ્મીરમાં નવી પેઢીને કાશ્મીરી શાલ બનાવવાનું શીખવાડવામાં આવ્યું છે તેમ સુરતમાં પણ જરી ઉદ્યોગકારોએ તેમની યુવા પેઢીને જીઆઇ ટેગનો ઉપયોગ કરીને માર્કેટીંગ કરવાનું છે અને જરીની પ્રોડકટ બનાવવાનું શીખવવું પડશે. આ યુવા પેઢીએ જરી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવાનો છે અને પ્રોડકટમાં વેલ્યુ એડીશન કરવાની છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જરીનું ઈમિટેશન નહીં થાય તે માટે જીઆઈ સર્ટિફિકેશન જરૂરી: ટેક્સ્ટાઈલ કમિટી સેક્રેટરી

ટેકસટાઈલ કમિટીના સેક્રેટરી અજિત બી. ચવાણે જરીના ઉદ્યોગકારોને જરી ઉદ્યોગ માટે ઉપયોગી એવી વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરત જરીના નામે દેશમાં અથવા વિદેશમાં કોઈ ઈમીટેશન નહીં કરી શકે તે જીઆઈ સર્ટિફિકેશન આપવા પાછળનો મુખ્ય હેતુ છે. જીઆઈ અંતર્ગત 417 પ્રોડકટ રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે. એમાંથી 231 યુનિક ટેકસટાઈલના પ્રોડકટ છે. ટેકસટાઈલ કમિટીએ 69 પ્રોડકટને રજિસ્ટર્ડ કરવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે અને અન્ય 49 જેટલા ક્રાફટને આઇડેન્ટીફાય કર્યા છે તથા આગામી દોઢ વર્ષમાં તેમના પ્રોડયુસર અને વિવર્સને પણ પ્રોટેકશન આપી શકાશે.

જરીને જીઆઈ સર્ટિફિકેટ મળવાથી પ્રોડ્કટની વેલ્યુ વધશે: ચેમ્બર પ્રમુખ

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે જરીનો ઉપયોગ ઘણા વર્ષો પહેલાથી થાય છે પણ જરીને જીઆઈ સર્ટિફિકેટ મળે એટલે પ્રોડકટની વેલ્યુ વધી જશે. ચેમ્બર દ્વારા વૈશ્વિક કક્ષાએ આ બાબતે માર્કેટીંગ કરવામાં આવશે. ફ્રાન્સ પછી આપણો બીજો નંબર આવે છે ત્યારે એના માટે કેપીટલાઇઝેશન કરવું જોઈએ. જરી ઉદ્યોગકારોએ બદલાવ લાવવો પડશે. ઘણા લોકો પ્રોડકટ ઉપર રિસર્ચ કરે છે પણ માર્કેટ અંગે પણ રિસર્ચ કરવું પડશે. માર્કેટ સ્ટડી કરીને કસ્ટમર અને પ્રોડકટ વિશે રિસર્ચ કરી આગળ વધવું પડશે.

જરીની જૂની પદ્ધતિ સૌથી સારી હતી: ડિઝાઈનર

ડિઝાઈનર બેલા સંઘવીએ જણાવ્યું હતું કે જરીની સાડીઓ તથા અન્ય પ્રોડકટ બનાવવાની જૂની પદ્ધતિ આજની નવી પદ્ધતિ કરતા ઘણી સારી હતી. આથી યુવા પેઢીએ એના ઉપર ફોકસ કરવો જોઈએ. આ ઉપરાંત જરીની પ્રોડકટ માટે યુરોપ તથા અમેરિકાના ડેવલપ માર્કેટમાં રિસર્ચ કરવાની જરૂર છે. સાથે જ વિશ્વમાં પ્લાસ્ટીક જરીની પ્રોડકટની માંગ વધી ત્યારે આ અંગે રિસર્ચ કરવાની તેમજ આ પ્રોડકટને ઓરિજીનલ જરીમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય તે દિશામાં રિસર્ચ કરવાની જરૂર છે.

Next Article