સુરતમાં રોજીરોટી અને માલસામાન વાહક તરીકે લાવવામા આવતા પાળતું પ્રાણી ઊંટને તરછોડી દેવાના બનાવો વધી રહ્યા છે. સુરતમાં છેલ્લા છ મહિનામાં આવા 3 ઊંટને રઝળતી હાલતમાં છોડી દેવાના બનાવો બનવા પામ્યા છે. જે બાદ જીવદયાપ્રેમીઓમાં રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગઈકાલે રાત્રે પીપલોદ વિસ્તારમાં એસવીએનઆઇટી કોલેજ પાસે શરીરના અલગ અલગ ભાગે ઇજાઓ સાથે તેમજ પગમાં લોહી નીકળતી હાલત સાથે એક ઊંટ રસ્તા પર ફરતું દેખાયું હતું. ત્યારે અડાજણ વિસ્તારના ગાર્ડન ગ્રુપના સભ્યોના ધ્યાને આ વાત આવતા તેઓ તુરંત જ ઊંટની વ્હારે આવ્યા હતા.
ઊંટને વધુ કોઈ ઇજા ન થાય કે સારવારને અભાવે તે મોતને ભેંટે તે પહેલાં જ તેઓ ઊંટને જહાંગીરપુરા ગૌશાળામાં લઇ ગયા હતા. પણ તે બંધ હોવાના કારણે તેઓ આખી રાત ઊંટ પાસે બેસી રહ્યા હતા. અને આખરે સુરતમાં અબોલ પશુઓ માટે કામ કરતી સંસ્થા નેચર ક્લબનો સંપર્ક કર્યો હતો.
જેમના સભ્યો દ્વારા ઊંટને ડુમસ સ્થિત ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યું હતું. લોકડાઉન બાદ આ 3જી ઘટના છે જ્યારે શહેરમાં આવી રીતે રઝળતી હાલતમાં ઊંટ મળી આવ્યું છે. જોકે શહેરમાં આવા નોંધારા ઊંટની સારવાર માટેની કોઈ વ્યવસ્થા નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો