Surat : ગ્રીષ્મા વેકરિયાના પરિવારને દર્શના જરદોશના હસ્તે અર્પણ કરાયો વીમાનો ચેક

|

May 19, 2022 | 10:18 AM

આ અંગેની એક પોસ્ટ (Post ) મંત્રી દર્શના જરદોશે મૂકી હતી. અને તેમણે લખ્યું હતું કે સુરતની લાડકી દીકરી ગ્રીષ્મા ના પરિવારને એક લાખનો ચેક અર્પણ કર્યો છે. આવી ઘટના ફરી વાર ન બને તેના માટે પણ યુવાવર્ગને માર્ગદર્શન આપવું જરૂરી છે.

Surat : ગ્રીષ્મા વેકરિયાના પરિવારને દર્શના જરદોશના હસ્તે અર્પણ કરાયો વીમાનો ચેક
Check given to Grishma's Family (File Image )

Follow us on

બેંકિંગ (Banking ) સેવા આપવાની સાથે સાથે સામાજિક (Social )પ્રવૃત્તિઓમાં સુરતની વરાછા કો-ઓ. બેંક હંમેશા આગળ રહી છે. ત્યારે કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ અને રેલ્વે રાજયમંત્રી(Minister ) દર્શના જરદોશના હસ્તે વડાપ્રધાન વીમા યોજના અને અન્ય વીમા સુરક્ષા યોજના અંતર્ગત મૃતક ખાતેદારોના પરિવારને વીમાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં વરાછા બેંકની સરથાણા શાખા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં દર્શના જરદોશ ના હસ્તે ગ્રીષ્મા વેકરીયાના પિતા નંદલાલભાઇને પણ એક લાખના વીમાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ અંગેની એક પોસ્ટ મંત્રી દર્શના જરદોશે સોશિયલ મીડિયામાં મૂકી હતી. અને તેમણે લખ્યું હતું કે સુરતની લાડકી દીકરી ગ્રીષ્મા ના પરિવારને વીમા ચેક સુપ્રત કર્યો. આવી ઘટના ફરી વાર ન બને તેના માટે પણ યુવાવર્ગને માર્ગદર્શન આપવું જરૂરી છે. આજે પરિવારને ચેક અર્પણ કરીને તેમને જરૂરી સાંત્વના આપી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ ઉપરાંત બારડોલી નજીક અકસ્માતે કાર નહેરમાં પડતા પહેલા પાંચ યુવાનોના મોત થયા હતા. જેમાંથી મૃતક અનિલ વાઘમશીએ વડાપ્રધાન વીમા યોજના હેઠળ 12 અને 330 રૂપિયા એમ બન્ને પ્રિમીયમ ભરેલ હતા. તેના 4 લાખ અને વરાછા બેંકની અકસ્માત વીમા યોજના હેઠળ બીજા 1 લાખ મળી આજે કુલ 5 લાખનો ચેક મૃતક ખાતેદારના પિતાને અર્પણ કર્યો હતો. દર્શનાબેને વડાપ્રધાન વીમા યોજનાના લાભની નોંધ લઇ જણાવ્યું હતું કે, ડુબી જવાથી 5 ના મોત થયા, પરંતુ માત્ર અનિલે જ પ્રિમીયમ ભર્યું હતું તો તેમના પરિવારને 5 લાખના વીમો મળ્યો છે. બાકીના પરિવારને મળ્યા નથી. તેમણે વડાપ્રધાન વીમા યોજના લોકો માટે આશીર્વાદરૂપ ગણાવી વરાછા બેંકની સામાજિક પ્રવૃત્તિ અને ખાસ કરી વીમા સેવાને બિરદાવી હતી. અને અન્ય બેંકો માટે ઉદાહરણરૂપ ગણાવી હતી.

 

 

Next Article