Surat : શહેરમાં ઈલેકટ્રીક વાહનોની પોલિસી રંગ લાવી, વાહનોની સંખ્યામાં થયો આટલો વધારો

દેશમાં ઈલેક્ટ્રિક(Electric ) વાહનોમાં સુરતનો હિસ્સો એપ્રિલ 2022માં 3.0 ટકાથી વધુ હતો. ઈલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશનમાં આખા રાજ્યમાં સુરત શહેર ટોચનું સ્થાન ધરાવે છે.

Surat : શહેરમાં ઈલેકટ્રીક વાહનોની પોલિસી રંગ લાવી, વાહનોની સંખ્યામાં થયો આટલો વધારો
Electric vehicles in Surat (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 9:15 AM

સુરત મહાનગર પાલિકાની (SMC) ઈલેકટ્રીક વાહનો માટેની પોલીસીને (Policy ) કારણે શહેરમાં ઈલેક્ટ્રિક વાહનોની(Electric Vehicles ) સંખ્યામાં વધારો થવામાં ખૂબ મદદ મળી છે. સુરતમાં આઠ મહિના પહેલા ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા જે 1000 હતી, હવે તે વધીને 11,500 જેટલી થઇ ગઈ છે. સુરત કોર્પોરેશને થોડા મહિના પહેલા જાહેર કરેલી ઈ-વ્હીકલ પોલીસીને ખૂબ સારો અને સફળ પ્રતિસાદ મળી રહ્યો છે. ઈ-પોલીસીની જાહેરાત પહેલા સુરતમાં 1,000 ઈ-વ્હીકલ હતા, ઈલેક્ટ્રિક વ્હીકલ હતા પણ પોલિસીના આઠ જ મહિનામાં ઈ-વ્હીકલની આ સંખ્યા વધીને 11,500થી વધુ થઈ ગઈ છે. પેટ્રોલ ડીઝલના મોંઘા ભાવથી પરેશાન લોકો હવે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી તરફ વળી રહ્યા છે.

નવેમ્બર 2021માં, દુબઈમાં વર્લ્ડ એક્સ્પોમાં યોજાયો હતો, જેમાં 190 જેટલા દેશોએ ભાગ લીધો હતો, જેમાં સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ઈ-મોબિલિટી વિષય પર આ ઈવેન્ટમાં “સુરત સિટી ઈ-વ્હીકલ પોલિસી 2021″ની જાહેરાત કરી હતી.

સુરત દેશનું પ્રથમ ઈ-વ્હીકલ સીટી છે. નીતિ આયોગ અને એશિયન ડેવલપમેન્ટ બેંકે આ પોલિસીના આઠ મહિનામાં લોકોને ઈ-વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક વ્યાપક ઈ-મોબિલિટી પ્લાન વિકસાવવા માટે એક વર્કશોપનું આયોજન કર્યું હતું. સુરત માટે નીતિ આયોગ અને એશિયન ડેવલપમેન્ટ બેંકના વર્કશોપમાં સુરતના મ્યુનિસિપલ કમિશનરે પ્રેઝન્ટેશન આપ્યું હતું. સુરત શહેર માટે વ્યાપક ઇલેક્ટ્રિક મોબિલિટી પ્લાન વિકસાવવા આ વર્કશોપનું આયોજન નીતિ આયોગ અને એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નીતિ આયોગે યોજના તૈયાર કરવા માટે સુરત, લખનઉ અને કોલકાતાની પસંદગી કરી હતી. જે માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મૂળ ઉદ્દેશ્ય સુરતમાં ઈલેક્ટ્રિક વાહનોના પ્રચાર માટે એક પ્લેટફોર્મ બનાવવાનો હતો અને પડકારોને ઉકેલવા માટેના પ્રયત્નો અને ધીમે ધીમે ઈલેક્ટ્રિક મોબિલિટી પ્લાનમાં વધારો કરવાનો હતો. કમિશનર બંછાનિધિ પાનીએ ઈ-વ્હીકલ પોલિસી અને ઈ-વ્હીકલનો ઉપયોગ વધારવા અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.

આગામી ચાર વર્ષમાં સુરતમાં 40 હજારથી વધુ ઈ-વ્હીકલ હશે

દેશમાં ઈલેક્ટ્રિક વાહનોમાં સુરતનો હિસ્સો એપ્રિલ 2022માં 3.0 ટકાથી વધુ હતો. ઈલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશનમાં આખા રાજ્યમાં સુરત શહેર ટોચનું સ્થાન ધરાવે છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ઇલેક્ટ્રિક વાહનોના લક્ષ્યાંકમાંથી 20 ટકા વાહનો એટલે કે 40,000 ઇલેક્ટ્રિક વાહનો આગામી ચાર વર્ષમાં શહેરમાં હશે. સુરત કોર્પોરેશન દ્વારા શહેરમાં 150 ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">