AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તક્ષશિલા અગ્નિકાંડ : 22 બાળકોના વાલીઓની ન્યાય માટેની આગ 2 વર્ષ બાદ પણ નથી બુઝાઈ

takshashila fire tragedy : વાલીઓનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાની લડત ચાલુ રાખશે. તક્ષશિલાની રાખ ભલે ઠંડી થઈ ગઈ છે, પરંતુ તેમના ક્લેજાની આગ હજી બુઝાઈ શકી નથી.

તક્ષશિલા અગ્નિકાંડ :  22 બાળકોના વાલીઓની ન્યાય માટેની આગ 2 વર્ષ બાદ પણ નથી બુઝાઈ
Parul Mahadik
| Edited By: | Updated on: May 24, 2021 | 9:54 PM
Share

Surat Takshashila Complex Fire Accident : સુરત માટે કલંક સમાન તક્ષશિલા અગ્નિ કાંડ ને (takshashila fire tragedy) આજે બે વર્ષ પૂર્ણ થયા છે. આ અગ્નિકાંડમાં ( fire tragedy) માર્યા ગયેલા 22 બાળકો ની યાદમાં આજે વાલીઓએ આ અગ્નિ કાંડ જ્યાં થયો હતો તે સ્થળે બાળકોને શ્રધ્ધાંજલિ આપી હતી.

રડતી આંખો દ્વારા વાલીઓ દ્વારા તેમના સંતાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અત્યાર સુધી આ કેસમાં સંડોવાયેલા 14 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તેમાંથી નવ આરોપીઓને તો જામીન મળી ગયા છે. અને તેઓ પોતાની ફરજ પર હાજર પણ થઈ ગયા છે, જ્યારે પાંચ આરોપીઓ હજી પણ જેલમાં છે.

Surat The parents are still demanding justice even after two years of Takshashila Complex Fire Accident

તમામ પરિસ્થિતિ વચ્ચે બાળકો ગુમાવનારા વાલીઓ ઘટનાના દિવસે જ્યાં ઉભા હતા આજે પણ ત્યાં જ ઉભા છે, કારણ કે તેમને હજી પણ ન્યાયની અપેક્ષા છે. વાલીઓનો રોષ બે વર્ષ બાદ પણ શમ્યો નથી.

આ અગ્નિકાંડમાં માર્યા ગયેલ ગ્રીષ્મા ગજેરાના પિતા જયસુખ ગજેરાએ જણાવ્યું છે કે, તક્ષશિલા અગ્નિ કાંડમાં અઢી વર્ષથી લઈને 22 વર્ષના નિર્દોષ બાળકોનો ભોગ લેવાયા છે. ઘટનાના દિવસે સરકારે સંવેદનશીલતા બતાવી હતી અને ઘટનામાં સંડોવાયેલા જવાબદાર છોડવામાં નહીં આવે તેવી જાહેરાત કરી હતી. પરંતુ અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારી અને બક્ષી દેવામાં આવ્યા છે, અને ફક્ત નાના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Surat The parents are still demanding justice even after two years of Takshashila Complex Fire Accident

અત્યાર સુધી વાલીઓએ સુપ્રીમ કોર્ટમાં દસ વખત, હાઇકોર્ટમાં 100 થી વધુ વખત અને સેશન્સ કોર્ટમાં અસંખ્ય વખત ન્યાય માટે ધક્કા ખાધા છે. સરકાર જો ખરેખર સંવેદનશીલ હોય તો, આ કેસમાં હસ્તક્ષેપ કરીને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવે.

વાલીઓનું કહેવું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાની લડત ચાલુ રાખશે. તક્ષશિલાની રાખ ભલે ઠંડી થઈ ગઈ છે, પરંતુ તેમના ક્લેજાની આગ હજી બુઝાઈ શકી નથી.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">