એનઆઇએ (NIA) અને ગુજરાત એટીએસ(Gujarat) ના સુરતમાં(Surat) ધામા નાખ્યા છે. જેમાં શહેરના ભાગા તળાવ વિસ્તાર માંથી દેશ વિરોધી કૃત્ય અને શંકાના આધારે એક વ્યક્તિની અટક કરી છે. જેમાં હાલમાં છેલ્લા ત્રણ ચાર કલાકથી તેની સતત પૂછપરછ અલગ અલગ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં ખુલાસા થાય છે તેમ બીજી ટીમો છે તે તપાસની અંદર જોતરાઇ રહી છે. જેમાં ગુજરાત એટીએસ અને એનઆઈએ દ્વારા દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ દેશ વિરોધી કૃત્ય કરતા હોય તો તેની તપાસના આધારે તેની પૂછપરછ કરીને કામગીરી કરતી હોય છે. આજે સવારે ભાગા તળાવ વિસ્તારમાં ગુજરાત એટીએસ અને એનઆઈએની ટીમ સુરત પહોંચી હતી. જેને લઇને શહેરભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે એના એ કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
જે રીતે માહિતી મળેલી છે તે પ્રમાણે વર્ષ 2021 ની અંદર આ વ્યક્તિ સુરતમાં આવ્યા હતા અને સતત અલગ અલગ જે શંકાસ્પદ કામગીરીની અંદર સંકળાયેલા હોવાની માહિતી મળી હતી અને તેની તપાસ કરવામાં આવી હતી. આખરે NIAના હાથમાં કોઈ ઘટક પુરાવા લાગતાની સાથે તેની અટકાયત કરી અને તપાસ શરૂ કરી છે.
ભાગા તળાવ વિસ્તારની અંદર રહેતા અબ્દુલ જલિલ મુલ્લાહ નામના મૌલાનાની અટક કરી કરવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. મૌલાના દ્વારા કેટલાક યુવકોને દેશ વિરોધી કૃતિઓ માટે ઉશ્કેરવામાં આવતા હોવાની વાત મળી રહી છે તેમની પાસેથી કેટલાક એવા દસ્તાવેજ પણ મળી શકે છે જેનાથી તેઓ દેશ વિરોધી કૃત્ય માટેના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. સત્તાવાર રીતે કોઈ માહિતી મળી નથી પરંતુ NIA અને ગુજરાત ATSની ટીમ દ્વારા મૌલાનાએ ભૂતકાળમાં કરેલી કેટલીક ગતિવિધિઓના પણ પુરાવા તેમની પાસે ઉપલબ્ધ છે.
વહેલી સવારે NIAની ટીમ અને ગુજરાત ATSની ટીમ દ્વારા મૌલાના દેશ વિરોધી કાવતરામાં પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં તેમના વિરોધમાં જેટલા પુરાવા મળ્યા છે તેના આધારે એટીએસ દ્વારા તેમને પૂછપરછ કરવામાં આવી રહી છે. દેશ વિરોધી કાવતરામાં સંદિગ્ધતા હોવાની વાત સામે આવતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે સ્થાનિક પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે.NIA ની તપાસ માં આ એક ખુલાસા થાય એવી શક્યતા છે.
Published On - 7:00 pm, Sun, 31 July 22