Surat : રાંદેરની લોકમાન્ય શાળાના પ્રિન્સિપાલનું રાજીનામુ લેવાતા વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, 12મીએ આવશે નિવેડો

સુરત શહેરના ઈતિહાસમાં વર્ષો બાદ એવુ બન્યું હશે કે, શિક્ષકને શાળામાંથી કાઢી મુકવામા આવ્યા હોય અને તેના માટે વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા હોય.

Surat : રાંદેરની લોકમાન્ય શાળાના પ્રિન્સિપાલનું રાજીનામુ લેવાતા વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, 12મીએ આવશે નિવેડો
student's strike
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 09, 2022 | 6:09 PM

શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ લોકમાન્ય શાળાના કોમર્સ ફેકલ્ટીના આચાર્યનું ટ્રસ્ટીઓ દ્વારા રાજીનામું લખાવી લેવામાં આવ્યું છે. આ વાતની જાણ થતાની સાથે જ સ્કૂલના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. પ્રિન્સિપાલને સ્કૂલમાં પરત લેવાની માંગ સાથે 200 થી વધુ વિદ્યાર્થીઓ ધોમધખતા તાપમાં સ્કૂલના પટાંગણમાં જ ધરણાં પર બેસી ગયા હતા. વિદ્યાર્થીઓએ ચીમકી આપી હતી કે જો આચાર્યને પરત લેવામાં નહિ આવે તો તેઓ એલસી લઇ લેશે. વિદ્યાર્થીઓ ધરણાં પર બેસતા તેઓના વાલીઓ પણ સ્કૂલે આવી પહોંચ્યા હતા. 300 થી વધુ વાલીઓ પણ સ્કૂલના ગેટ પર બેસી જતા ટ્રસ્ટીઓ દોડતા થઇ ગયા છે.

સુરત શહેરના ઈતિહાસમાં વર્ષો બાદ એવુ બન્યું હશે કે, શિક્ષકને શાળામાંથી કાઢી મુકવામા આવ્યા હોય અને તેના માટે વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા હોય. રાંદેરની લોકમાન્ય શાળાના વિદ્યાર્થીઓ આજે સવારે શાળામાં વિદ્યાર્થીઓ આજે સવારે શાળામાં ભારે હોબાળો મચાવી સ્કૂલના પટાંગણમાં જ ધરણાં પર બેસી ગયા હતા. લોકમાન્ય સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા કોમર્સ ફેકલ્ટીના

આચાર્ય વિધાર્થીઓના હિત માટે રજૂઆતો કરતા: વિધાર્થીની

લોકમાન્યશાળામાં અભ્યાસ કરતી કોમર્સપ્રવાહની વિધાર્થિનીએ જણાવ્યું કે, આચાર્ય જીગ્નેશ પટેલ દ્વારા વિધાર્થીઓના હિતમાં હંમેશા ટ્રસ્ટીઓ સમક્ષ રજૂઆતો કરતા હતા. વિધાર્થીઓને વધુ પડતા માનસિક ત્રાસ આપવામાં આવે એ પ્રકારનો અભ્યાસને લઈને અમારા શિક્ષક હંમેશા વિરોધ કરતા હતા. તેના કારણે તેમને ટ્રસ્ટીઓ દ્વારા અપશબ્દો બોલવામાં આવતા હતા. તેમને ગાંડામાં ખપાવી દેવાની વાત કરતા હતા. અમે તમામ વિધાર્થીઓ દ્વારા ટ્રસ્ટીઓને કહેવામાં આવ્યું છે કે, જો અમારા સરને પરત નહીં લેવાય તો અમે બધા શાળામાંથી એલસી લઇ લેશું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રેલી કાઢવામાં આવી

આચાર્ય જીગ્નેશ પટેલનું રાજીનામુ લખાવી સ્કૂલમાં કાઢી મુકવામાં આવ્યા હતા. આ વાતની જાણ થતા આખરે વિદ્યાર્થીઓ અકળાયા હતા અને ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલા નિર્ણયને લઇને વિદ્યાર્થીઓએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્કૂલના કેમ્પસમાં ધોમધખતા તાપમાં ધરણાં પર બેસેલા વિદ્યાર્થીઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે કોમર્સ ફેકલ્ટીના જીગ્નેશ પટેલને શાળાના ટ્રસ્ટીઓ જીગ્નેશ પટેલને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા જબરજસ્તીથી રાજીનામા લખાવી દેવામાં આવ્યું છે. આચાર્યને પરત સ્કૂલમાં લેવાની માંગ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ અને વાલીઓ ધરણાં પર બેસી જતા ટ્રસ્ટીઓ દોડતા થઇ ગયા

સ્કૂલની આજુબાજુ સહિતના વિસ્તારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી સ્કૂલ પર પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ધરણાં પર બેસી જતા ટ્રસ્ટીઓ દોડતા થઇ ગયા હતા. એકતરફ ધોમધખતો તાપ અને બીજી બાજુ પરસેવાથી રેબઝેબ છતાં વિદ્યાર્થીઓ ટચના મચ થયા ન હતા અને ધરણાં પર બેસી રહ્યા હતા. મક્કમતા સાથે તેઓએ કહ્યું હતું કે જયાં સુધી આચાર્ય જીગ્નેશ પટેલને સ્કૂલમાં પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમના દ્વારા આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

ફાઉન્ડેશનના કોર્સમાં કોમર્સ ફેકલ્ટીને સાઈટ ટ્રેક કરાતા શરૂ થયો વિવાદ

આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર સ્કૂલમાં ધોરણ 8 અને 9 દરમિયાન સ્કૂલમાં નીટની પરીક્ષા માટેના ફાઉન્ડેશનના કોર્સ શરુ કરવામાં આવ્યા હતા. જેમાંથી કોમર્સ ફેલ્ટીને સાઈડટ્રેક કરવામાં આવી હતી. જેથી આ મામલે આચાર્ય જીગ્નેશ પટેલે વાંધો ઉઠાવી ટ્રસ્ટીઓને કોમર્સ ફેકલ્ટીને સાઈડ ટ્રેક ન કરવા રજુઆત કરી હતી. જેથી આખરે બાદમાં આચાર્ય જીગ્નેશ પટેલ પાસે રાજીનામુ લખાવી લેવામાં આવ્યું હતું.

12 તારીખે આવશે નિવેડો

વિદ્યાર્થીઓ અને વાલીઓના હલ્લાબોલ બાદ શાળાના આચાર્ય જીગ્નેશ પટેલ અને તેમના શિક્ષકો ની ટીમ સાથે સ્કૂલ મેનેજમેન્ટ એક બેઠક પણ કરી હતી. પરંતુ આ બેઠકનું કોઈ સુખદ સમાધાન આવ્યું ન હતું અને હવે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને 12મીએ તેનું નિરાકરણ લાવવાની ખાતરી શાળા સંચાલકોએ આપી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">