Surat : વાડિયા વિમેન્સ કોલેજમાં પેપર લીકમાં આચાર્ય સસ્પેન્ડ, આચાર્ય મંડળે કહ્યું, આ માનવીય ભૂલ છે પોલીસ તપાસ કરાવી યોગ્ય નથી

કોલેજના આચાર્ય મંડળ (Acharya Mandal) દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ એક માનવીય ભૂલ હોય તેની માટે પોલીસ તપાસ કરાવી યોગ્ય નથી. આ ઘટના માટે માનવીય વલણ અપનાવવા રજૂઆત કરી હતી.

Surat : વાડિયા વિમેન્સ કોલેજમાં પેપર લીકમાં આચાર્ય સસ્પેન્ડ, આચાર્ય મંડળે કહ્યું, આ માનવીય ભૂલ છે પોલીસ તપાસ કરાવી યોગ્ય નથી
question paper leak case
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 08, 2022 | 1:58 PM

સુરત (Surat) માં વાડિયા વિમેન્સ કોલેજ (college) માં પેપર લીક (question paper leak) ઘટના સંદર્ભે કોલેજના આચાર્ય સહિત 12 વ્યક્તિઓને પરીક્ષાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પોલીસ કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી હતી. આ સંદર્ભે કોલેજના આચાર્ય મંડળ (Acharya Mandal) દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવા અને પોલીસ કાર્યવાહી કરવા સંદર્ભે નારાજગી વ્યક્ત કરી હતી. આચાર્ય મંડળે આ સમગ્ર ઘટનાને માનવીય ભૂલ આ ગણાવી હતી.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બી.કોમ સેમેસ્ટર-6 અર્થશાસ્ત્ર, બીએ સેમેસ્ટર-6 ગુજરાતી, અંગ્રેજી, ઇતિહાસ અને હોમ સાયન્સના પાંચ પ્રશ્નપત્રોના બંડલ પરીક્ષાના એક દિવસ અગાઉ વાડિયા વિમેન્સ કોલેજ ખાતે ખુલી ગયા હતા. જેને પગલે 20મી એપ્રિલના રોજ આ પાંચેય પરીક્ષા રદ કરવામાં આવી હતી. તપાસ કમિટી નિમવામાં આવી હતી અને તપાસનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી થાય તે માટે યુનિવર્સિટી દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.

આ ઘટનાને પગલે કોલેજના આચાર્ય ડો. અશોક દેસાઇ, પરીક્ષા સુપ્રિટેન્ડન્ટ ડો. ભરત ભંડારી, ડો. કે સી પટેલ સહિતનાં 12 વ્યક્તિઓને પરીક્ષાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

કોલેજ આચાર્ય મંડળના પ્રમુખ વાડિયા વિમેન્સ કોલેજના આચાર્ય ડો. અશોક દેસાઇ છે. આથી મંડળના 12 સભ્યો દ્વારા કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ આવેદનપત્રમાં લખવામાં આવ્યું હતું કે આ એક માનવીય ભૂલ છે. જે શરતચૂકથી થઈ હતી. તેના માટે કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવા જોઇએ નહીં, કારણ કે જે દિવસ આ ઘટના બની તે દિવસે કોલેજના આચાર્ય યુનિવર્સિટીની બીજી કામગીરી માટે ગયા હતા.

આચાર્યને બંડલ ખુલી ગયા હતા તે અંગે જાણ કરવામાં આવી નહીં હતી. કોલેજમાં નીચેની વ્યક્તિઓ ભૂલ કરે તેના માટે આચાર્યને જવાબદાર ઠેરવી શકાય નહીં. આ એક માનવીય ભૂલ હોય તેની માટે પોલીસ તપાસ કરાવી યોગ્ય નથી. આ ઘટના માટે માનવીય વલણ અપનાવવા રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે કમિટી નિમવામાં આવી હતી અને તપાસનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી થાય તે માટે યુનિવર્સિટી દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.

https://www.youtube.com/watch?v=oxlvfP42Xcg

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">