Surat: ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ, પરવાનગી અંગે હજી પ્રશ્નાર્થ

સુરત જહાંગીરપુરા ખાતે આવેલા ઈસ્કોન મંદિર (Iscon Temple)માં રથયાત્રામાં રથને સજાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Surat: ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ, પરવાનગી અંગે હજી પ્રશ્નાર્થ
રથયાત્રાની તૈયારીઓ શરૂ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 12, 2021 | 11:13 PM

Surat: અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રા (Rathyatra)ની તૈયારી સુરતમાં શરૂ થઈ ગઈ છે. કોરોનાના કારણે ગયા વર્ષે રથયાત્રા નીકળી શકી ન હતી. જો કે કોરોનાના કારણે આ વર્ષે પણ પરવાનગી મળે તેવી સંભાવના ઓછી છે. છતાં સુરત જહાંગીરપુરા ખાતે આવેલા ઈસ્કોન મંદિર (Iscon Temple)માં રથયાત્રામાં રથને સજાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સુરતના ઈસ્કોન મંદિર ખાતેથી અષાઢી બીજ નિમિત્તે છેલ્લા 28 વર્ષથી રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે પણ 29મી રથયાત્રાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે રથને સજાવવામાં આવી રહ્યા છે. ઈસ્કોન મંદિરના દિલીપભાઈ કટીરાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે કોરોનાના કારણે સુરતના ઈસ્કોન મંદિરેથી નીકળનારી સૌથી મોટી રથયાત્રા કેન્સલ કરવામાં આવી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

દર વર્ષે મોટી સંખ્યામાં સુરત રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા ઈસ્કોન મંદિર સુધી નીકળતી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાય છે. પરંતુ કોરોનાના કારણે આ રથયાત્રા રદ્દ કરવામાં આવી હતી. જોકે આ વર્ષે પણ કોરોનાની બીજી લહેર ઘાતક રહી હતી. હાલ કોરોનાના કેસો કાબુમાં આવ્યા છે પણ સરકાર પાસે પરવાનગી માંગવામાં આવી છે.

જોકે પરવાનગી ન મળે તો મંદિરના બે રથ પૈકી નાનો રથ મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવશે. જેનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે, જેથી ભક્તો ઘરે બેઠા દર્શન કરી શકે. જોકે આ વર્ષે પણ કોરોનાના કારણે કેસો ન વધે તેવી તકેદારી ધ્યાનમાં રાખીને કેસો કાબુમાં રાખવા સરકાર તરફથી પરવાનગી નહીં આપવામાં આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચો: GUJARAT : રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોને તાળાં લાગી શકે છે ? સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટી એકટમાં સુધારો કર્યો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">