AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : 29 સપ્ટેમ્બરે પીએમ મોદી આવી શકે છે સુરત, મેગા શો માટે લોકેશન શોધવાનું શરૂ

વનિતાવિશ્રામ મેદાન ખાતે મેળાનું આયોજન આ દરમિયાન થનાર છે. આ ઉપરાંત અન્ય એક લોકેશનમાં સરસાણા કન્વેનશન સેન્ટરની પણ વિચારણા કરવામાં આવી રહી છે.

Surat : 29 સપ્ટેમ્બરે પીએમ મોદી આવી શકે છે સુરત, મેગા શો માટે લોકેશન શોધવાનું શરૂ
PM Narendra Modi (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 8:48 AM
Share

આગામી તારીખ 29 સપ્ટેમ્બરના રોજ દેશના વડા પ્રધાન (PM ) નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમ માટે સુરતની (Surat ) મુલાકાતે આવે તેવી શક્યતા છે. સુરતમાં ડ્રીમ સિટી (Dream City ) પ્રોજેક્ટના લોકાર્પણ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના હજારો કરોડોના વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ વડા પ્રધાનના હસ્તે કરાવવામાં આવે તેવી શક્યતા છે. જોકે, તંત્ર દ્વારા આ અંગે હજુ સત્તાવાર રીતે કોઇપણ જાહેરાત કરવામાં આવી રહી નથી, પરંતુ વડા પ્રધાનના કાર્યક્રમમાં અંતિમ ઘડીએ ફેરફાર થઇ શકે છે. આ અંગે આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

લોકેશનની તપાસ શરૂ

આગામી તારીખ 29 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરત પ્રવાસની શક્યતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તથા રાજકીય સ્તરે જાહેર સભા સ્તરના લોકેશન અંગે શોધખોળ પણ કરવામાં આવી રહી છે. વડા પ્રધાન મોદીની જાહેરસભામાં ભારે જનમેદની એકત્ર થવાની પૂરેપૂરી સંભાવના છે. જેના પગલે લોકેશન નક્કી કરવા બાબતે તંત્ર કે રાજકીય સ્તરે ભારે ચોક્કસતા રાખવામાં આવી રહી છે.

સુરત મહાનગરપાલિકાના સૂત્રો મુજબ, કદાચ ડ્રીમસિટી પ્રોજેક્ટના લોકાર્પણના કાર્યક્રમ માટે વડા પ્રધાન દ્વારા સુરતમાં ચૂંટણી પહેલા ફરી એકવખત મુલાકાત લેવામાં આવે તેવી શક્યતા છે. આગામી તારીખ 29 સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદીની સુરત મુલાકાતની સંભાવનાને પગલે તંત્ર દ્વારા જંગી જાહેરસભાના આયોજન માટેના લોકેશનો પર નજર કરવામાં આવી રહી છે.

લીંબાયત નીલગીરી સર્કલ થઇ શકે છે નક્કી

વનિતાવિશ્રામ મેદાન ખાતે મેળાનું આયોજન આ દરમિયાન થનાર છે. આ ઉપરાંત અન્ય એક લોકેશનમાં સરસાણા કન્વેનશન સેન્ટરની પણ વિચારણા કરવામાં આવી રહી છે. પણ તેની પણ ક્ષમતા પ્રમાણમાં ઓછી છે. ઓછામાં ઓછા 50 હજાર લોકોની બેઠક ક્ષમતા ધરાવતા લોકેશનની જરૂર છે, જેથી આ જગ્યા લીંબાયત નીલગીરી સર્કલ પર જ નક્કી થાય તેવી સંભાવના છે. જોકે તંત્ર દ્વારા હાલ આ મામલે કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ભાજપ નેતાગીરી દ્વારા આ અંગે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">