AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સુરત સ્ટેશને અડધાથી વધુ ટીકીટ બારીઓ બંધ રહેતા હાલાકી ભોગવી રહેલા મુસાફરો

સુરત સ્ટેશન ઉપર પશ્ચિમ વિસ્તારમાં એકથી 14 નંબર સુધીની બારી છે . પરંતુ આમાં મુસાફરોએ 7 થી 12 નંબરની બારી ઉપરથી જ ટિકિટ ખરીદવી પડે છે . સિનિયર સિટીઝન , દિવ્યાંગ અને પ્લેટફોર્મ ટિકિટની બારીઓ હંમેશા બંધ રાખવામાં આવે છે

Surat : સુરત સ્ટેશને અડધાથી વધુ ટીકીટ બારીઓ બંધ રહેતા હાલાકી ભોગવી રહેલા મુસાફરો
Ticket window (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 9:21 AM
Share

સુરત રેલવે સ્ટેશન(Surat Railway Station ) ઉપર ટિકિટ બુકિંગ ઓફિસ દ્વારા સિનીયર સીટીઝન(Senior Citizen ) અને વિકલાંગો માટે અલગ વિન્ડો(Window ) ઉપલબ્ધ ન હોવાને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે . ઉપરાંત, પ્લેટફોર્મ ટિકિટ ખરીદવા માટે પણ સામાન્ય ટિકિટ બુકિંગવાળા મુસાફરોને લાંબી લાઈનોમાંથી પસાર થવું પડે છે . મુસાફરોની ફરિયાદ છે કે અડધાથી વધુ ટીકીટ બારીઓ બંધ હોય છે , અને પીક અવર્સ દરમિયાન પ્લેટફોર્મ ટિકિટ મેળવવી મુશ્કેલરૂપ બની રહયુ છે . કોવિડ -19 રોગચાળા પછી , પશ્ચિમ રેલ્વેએ પહેલાની જેમ મુસાફરોની સુવિધાઓ શરૂ કરવા માટે અનેક નિર્ણયો લીધા છે .

સુરત રેલ્વે સ્ટેશન ઉપર હજુ પણ વરિષ્ઠ નાગરિકો , દિવ્યાંગો અને અન્ય મુસાફરો માટે ઘણી પ્રાથમિક સુવિધાઓ જરૂરી છે , જે હજુ શરૂ થઈ નથી . હોળીના તહેવારમાં કન્ફર્મ ટિકિટથી વંચિત હજારો મુસાફરોએ સુરતથી ટિકિટ બુકિંગ ઓફિસમાંથી જનરલ ટિકિટ બુક કરીને તેમની મુસાફરી કરી હતી .

માત્ર પાંચ દિવસમાં હજારો મુસાફરોએ કરંટ ટિકિટ ખરીદી હતી , જેમાં પ્લેટફોર્મ ટિકિટ ખરીદનારા મુસાફરોની સંખ્યા 51 હજારથી વધુ હતી . દરરોજ સરેરાશ દસ હજાર મુસાફરો પ્લેટફોર્મ ટિકિટ ખરીદે છે , પરંતુ સુરત સ્ટેશને તેમના માટે કોઈ અલગ બારી નહીં હોવાના કારણે મુસાફરો પરેશાન છે . સૂત્રોએ જણાવ્યું છે કે સુરત – મુંબઈ ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ , વલસાડ વડોદરા ઈન્ટરસિટી , મુંબઈ – અમદાવાદ મુંબઈ ગુજરાત એક્સપ્રેસ સહિતની અનેક ટ્રેનો એક પછી એક પસાર થાય છે . આ સમય દરમિયાન , સ્ટેશને સામાન્ય ટિકિટ ખરીદનારા મુસાફરોની સંખ્યા ઘણી વધારે છે .

આ ઉપરાંત સુરત – છાપરા તાપ્તી ગંગા એક્સપ્રેસ , કચ્છ એક્સપ્રેસ , સૂર્યનગરી એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેનો પણ ઉપડે છે . આ સમય દરમિયાન સિનીયર સીટીઝનોએ સામાન્ય ટિકિટ ખરીદવા માટે કોઈ અલગ બારી ન હોવાથી ભીડમાં લાંબી કતારોમાંથી પસાર થવું પડે છે . ઉપરાંત , પ્લેટફોર્મ ટિકિટ ખરીદનારા મુસાફરો માટે કોઇ અલગ વિન્ડો નથી . મુસાફરોએ જણાવ્યું કે અગાઉ સિનીયર સીટીઝન માટે અને પ્લેટફોર્મ ટિકિટ ખરીદવા માટે અલગ વિન્ડો હતી .

કોરોના પુરો થયા પછી પણ સિનીયર સીટીઝનોને સામાન્ય મુસાફરો સાથે ઉભા રહેવામાં તકલીફ પડે છે . પરંતુ રેલ્વે તંત્ર ઘણી ટીકીટ બારીઓ બંધ રાખે છે , તે પિક અવર દરમિયાન પણ મુસાફરો માટે ખોલવામાં આવતી નથી . અત્રે ઉલ્લેખનીય છે કે સુરત સ્ટેશન ઉપર કોરોના મહામારી પછી , મુસાફરોની સંખ્યામાં હવે વધારો થયો છે . પરંતુ પાયાની સુવિધાઓ શરૂ નહીં થવાના કારણે રોજબરોજ સિનીયર સીટીઝન અને પ્લેટફોર્મ ટિકિટ ખરીદનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે .

અડધી ટીકીટ બારીઓ બંધ રહે છે

કોરોના બિમારી હવે ઓછી થઇ છે . છતાં પણ સ્ટેશન ઉપર મોટાભાગની સામાન્ય ટિકિટ બુકિંગ વિન્ડો બંધ છે . સુરત સ્ટેશન ઉપર પશ્ચિમ વિસ્તારમાં એકથી 14 નંબર સુધીની બારી છે . પરંતુ આમાં મુસાફરોએ 7 થી 12 નંબરની બારી ઉપરથી જ ટિકિટ ખરીદવી પડે છે . સિનિયર સિટીઝન , દિવ્યાંગ અને પ્લેટફોર્મ ટિકિટની બારીઓ હંમેશા બંધ રાખવામાં આવે છે . બીજી બાજુ પૂર્વ તરફની ઉપલબ્ધ 4 બારીઓ છે . મેટ્રો રેલના કામને કારણે ટ્રાફિક બ્લોક થઈ ગયો છે . જેના કારણે સવાર અને રાત્રિની પાળીમાં એક જ બારી ખુલે છે . જેના કારણે મુસાફરો હેરાન પરેશાન થઇ રહયા છે.

આ પણ વાંચો :

હજીરા રોડ પર મોડી રાત્રે બે ટ્રકો વચ્ચે જબરજસ્ત ટક્કર : કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને ફાયર જવાનોએ મહામુસીબતે બહાર કાઢ્યો

Surat : મહીધરપુરા વિસ્તારમાં રિક્ષામાં પેસેંજરોને બેસાડી નજર ચૂકવી પૈસા કાઢી લેતી ગેંગ ઝડપાઇ

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">