AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : ગોપીપુરામાં અશાંત ધારો ભંગના આરોપના કેસમાં નવો વળાંક, જાણો શું કહ્યું પોલીસે

સુરતના ગોપીપુરામાં અશાંત ધારાના ભંગનો વીડિયો વાયરલ થયો હતો.આક્ષેપ લગાવામાં આવ્યો હતો કે, જૈન વસતી ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમ મહિલાઓને આગળ કરીને મિલકત ખરીદવા દબાણ કરવામાં આવી રહ્યું છે.

SURAT :  ગોપીપુરામાં અશાંત ધારો ભંગના આરોપના કેસમાં નવો વળાંક, જાણો શું કહ્યું પોલીસે
Disturbed area act violation in Surat
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 6:35 PM
Share

SURAT : સુરતમાં અશાંત ધારા ભંગનો વીડિયો વાયરલ થવાના મુદ્દે ફરિયાદી અને સ્થાનિકો આરોપ પ્રતિ આરોપ લગાવી રહ્યા છે. ફરિયાદી ભાવિન શાહનું કહેવું છે કે, એપાર્ટમેન્ટના કેટલાક લોકો સાથી મળી આ ષડયંત્ર ચલાવે છે. જો કે, બીજી તરફ સ્થાનિકોનો દાવો છે કે, ભાવિન શાહ લોકોને હેરાન કરે છે અને ઘર તેઓ સ્વૈચ્છાએ વેચી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સુરતના ગોપીપુરામાં અશાંત ધારાના ભંગનો વીડિયો વાયરલ થયો હતો.આક્ષેપ લગાવામાં આવ્યો હતો કે, જૈન વસતી ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમ મહિલાઓને આગળ કરીને મિલકત ખરીદવા દબાણ કરવામાં આવી રહ્યું છે…વાયરલ વીડિયોમાં પણ જોઇ શકાય છે કે કેટલીક મહિલાઓ દ્વારા અજાણ્યા લોકોના ઘરના દરવાજા ખટખટાવીને મકાન વેચવાના છે કે કેમ તે અંગે પુછપરછ કરવામાં આવી રહી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં પણ સામે આવ્યું છે કે, લોકો સ્વૈચ્છાએ મકાન વેચી રહ્યા છે. હાલ આ મુદ્દે પોલીસ વધુ તપાસ કરી છે.

આ સમગ્ર મામલે જૈન યુવક દ્વારા ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીને પણ રજૂઆ કરી હતી.ત્યારે ઘટનાની ગંભીરતાથી નોંધ લઇને હર્ષ સંઘવીએ વીડિયોની સત્યતા બાદ કાર્યવાહી કરવાની વાત કરી હતી.

હવે આ સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. અશાંત ધારા ભંગનો આરોપ લગાવનારા ભાવિન શાહનો દાવો તેની જ સોસાયટીના સ્થાનિકોએ ફગાવ્યો છે અને તમામ લોકોએ સ્વૈચ્છાએ કોઈ પણ દબાણ વગર ફ્લેટ વેચ્યા હોવાનો દાવો કર્યો છે. સાથે જ આરોપ લગાવ્યો છે કે, ભાવિન શાહ તેમને ખોટી રીતે હેરાન કરી રહ્યો છે. સીસીટીવી અંગે પણ મહિલાએ દાવો કર્યો કે, મહિલા તો માત્ર મકાન અંગે પૂછપરછ કરવા આવી હતી. મહિલાએ કોઈ ઉદ્ધતાઈ ભર્યું વર્તન ન હતું કર્યું પરંતુ ઉલટાનું ભાવિન શાહે તેની સાથે ઉદ્ધતાઈ ભાર્યું વર્તન કર્યું હતું.

તો આ સમગ્ર મામલે સુરતના JCP પ્રવિણ મલે જણાવ્યું કે અશાંત ધારો ભંગ થયાની હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી. JCP પ્રવિણ મલે કહ્યું કે આ એરિયામાં અશાંત ધારા ભંગની કે કોઈને ઘર વેચવાનું દબાણ કરવામાં આવ્યું હોય એવી કોઈ રજૂઆત પોલીસને મળી નથી.

આ પણ વાંચો : કોરોનાની દહેશત , ધોરણ 9 થી 12 ની વાર્ષિક પરીક્ષાની તારીખ પાછી ઠેલાઈ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">