AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ગરીબોનો કોળિયો છીનવવાની કોશિશ ? કોર્પોરેશનની દુકાનોમાં જ મળી આવ્યો સરકારી અનાજનો ગેરકાયદે જથ્થો

મનપાની ટીમે ઘઉં , ચોખા તથા મીઠાની આશરે 300 ગુણો નો જથ્થો જપ્ત કરીને ત્રણેય દુકાનો સીલ કરી હતી . પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી. પુરવઠા વિભાગ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું હતું

Surat : ગરીબોનો કોળિયો છીનવવાની કોશિશ ? કોર્પોરેશનની દુકાનોમાં જ મળી આવ્યો સરકારી અનાજનો ગેરકાયદે જથ્થો
Illegal food grains found (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 9:48 AM
Share

સુરત (Surat ) શહેરમાં મનપા (SMC) દ્વારા શોપિંગ સેન્ટરો બનાવી દેવામાં આવે છે પરંતુ સમયસર આ શોપિંગ સેન્ટરોની દુકાનો(Shops ) ફાળવવામાં ન આવતી હોવાના કારણે અસામાજિક તત્વો દ્વારા આવી દુકાનો પર કબ્જો જમાવી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે . ઉધના ઝોનના ભેસ્તાન વિસ્તારમાં સુરત મહાનગર પાલિકાના શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ એડી.સીટી . ઇજનેરને મળતા તેઓએ તાત્કાલિક તપાસ કરાવીને એસઆરપી જવાનોની ટીમ અને માર્શલ સિક્યુરિટીને સાથે રાખી ત્રણ દુકાનોમાંથી 300 અનાજની ગુણો કબ્જે લઇ ત્રણેય દુકાનો સીલ કરી દીધી હતી . જોકે આ તમામ અનાજનો જથ્થો સરકારી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો .

સુરત મહાનગર પાલિકા દ્વારા બનાવી દેવામાં આવતા શોપિંગ સેન્ટરો સમયસર ફાળવણી કરવામાં ન આવતા અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોય છે . અમરોલીમાં પણ આવી જ રીતે એક જ કોમ્પ્લેક્ષમાં 44 દુકાનો પર અસામાજિક તત્વો દ્વારા કબ્જો કરાયો હતો . હવે ઉધના ઝોનમાં પણ મનપાના શોપિંગ સેન્ટરમાં બનાવવામાં આવેલ દુકાનમાં અસામાજિક તત્વોએ કબ્જો કર્યો હોવાનું સામે આવ્યું છે .

ઉધના એ ઝોનમાં સુરત મહાનગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસરની પ્રવૃતિ થતી હોવાની એડી.સીટી ઈજનેર અને કાર્યપાલક ઈજનેરને ફરિયાદ મળતાં આજે એડી.સીટી ઈજનેર અને કાર્યપાલક ઈજનેર દ્વારા સ્થળ વિઝીટ કરી સુરત મહાનગર પાલિકાના શોપિંગમાં આ દુકાનો એલોટ થયેલ છે કે કેમ તેની ચકાસણી કરી કાર્યવાહી કરવા સુચના આપી હતી .

મનપા દ્વારા ચકાસણી કરવામાં આવતા આ દુકાનોની ફાળવણી થયેલ ન હોવાનું સામે આવ્યું હતું . જેથી આજે મનપાની ટીમ એસઆરપી જવાનો અને માર્શલો સાથેની ટીમ સાથે શોપિંગ સેન્ટરની દુકાન નં . 37,38,39 માં તપાસ કરતા અસામાજિક તત્વોએ અનાજની ગુણોનો સંગ્રહ ક૨વામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું .

મનપાની ટીમે ઘઉં , ચોખા તથા મીઠાની આશરે 300 ગુણો નો જથ્થો જપ્ત કરીને ત્રણેય દુકાનો સીલ કરી હતી . પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી. પુરવઠા વિભાગ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું હતું અને મનપાની ટીમે સમગ્ર કામગીરી કરી ગરીબ લોકોને મળવાનું અનાજ સગેવગે થતા અટકાવ્યું હતું .

આ પણ વાંચો :

Surat: શહેરના ખુણા ખુણા પર રહેશે પોલીસની નજર, 595 નવા સીસીટીવી લગાડવાની તૈયારી

Surat : સુરત સ્ટેશને અડધાથી વધુ ટીકીટ બારીઓ બંધ રહેતા હાલાકી ભોગવી રહેલા મુસાફરો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">