AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ગરીબોનો કોળિયો છીનવવાની કોશિશ ? કોર્પોરેશનની દુકાનોમાં જ મળી આવ્યો સરકારી અનાજનો ગેરકાયદે જથ્થો

મનપાની ટીમે ઘઉં , ચોખા તથા મીઠાની આશરે 300 ગુણો નો જથ્થો જપ્ત કરીને ત્રણેય દુકાનો સીલ કરી હતી . પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી. પુરવઠા વિભાગ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું હતું

Surat : ગરીબોનો કોળિયો છીનવવાની કોશિશ ? કોર્પોરેશનની દુકાનોમાં જ મળી આવ્યો સરકારી અનાજનો ગેરકાયદે જથ્થો
Illegal food grains found (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 9:48 AM
Share

સુરત (Surat ) શહેરમાં મનપા (SMC) દ્વારા શોપિંગ સેન્ટરો બનાવી દેવામાં આવે છે પરંતુ સમયસર આ શોપિંગ સેન્ટરોની દુકાનો(Shops ) ફાળવવામાં ન આવતી હોવાના કારણે અસામાજિક તત્વો દ્વારા આવી દુકાનો પર કબ્જો જમાવી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે . ઉધના ઝોનના ભેસ્તાન વિસ્તારમાં સુરત મહાનગર પાલિકાના શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ એડી.સીટી . ઇજનેરને મળતા તેઓએ તાત્કાલિક તપાસ કરાવીને એસઆરપી જવાનોની ટીમ અને માર્શલ સિક્યુરિટીને સાથે રાખી ત્રણ દુકાનોમાંથી 300 અનાજની ગુણો કબ્જે લઇ ત્રણેય દુકાનો સીલ કરી દીધી હતી . જોકે આ તમામ અનાજનો જથ્થો સરકારી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો .

સુરત મહાનગર પાલિકા દ્વારા બનાવી દેવામાં આવતા શોપિંગ સેન્ટરો સમયસર ફાળવણી કરવામાં ન આવતા અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોય છે . અમરોલીમાં પણ આવી જ રીતે એક જ કોમ્પ્લેક્ષમાં 44 દુકાનો પર અસામાજિક તત્વો દ્વારા કબ્જો કરાયો હતો . હવે ઉધના ઝોનમાં પણ મનપાના શોપિંગ સેન્ટરમાં બનાવવામાં આવેલ દુકાનમાં અસામાજિક તત્વોએ કબ્જો કર્યો હોવાનું સામે આવ્યું છે .

ઉધના એ ઝોનમાં સુરત મહાનગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસરની પ્રવૃતિ થતી હોવાની એડી.સીટી ઈજનેર અને કાર્યપાલક ઈજનેરને ફરિયાદ મળતાં આજે એડી.સીટી ઈજનેર અને કાર્યપાલક ઈજનેર દ્વારા સ્થળ વિઝીટ કરી સુરત મહાનગર પાલિકાના શોપિંગમાં આ દુકાનો એલોટ થયેલ છે કે કેમ તેની ચકાસણી કરી કાર્યવાહી કરવા સુચના આપી હતી .

મનપા દ્વારા ચકાસણી કરવામાં આવતા આ દુકાનોની ફાળવણી થયેલ ન હોવાનું સામે આવ્યું હતું . જેથી આજે મનપાની ટીમ એસઆરપી જવાનો અને માર્શલો સાથેની ટીમ સાથે શોપિંગ સેન્ટરની દુકાન નં . 37,38,39 માં તપાસ કરતા અસામાજિક તત્વોએ અનાજની ગુણોનો સંગ્રહ ક૨વામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું .

મનપાની ટીમે ઘઉં , ચોખા તથા મીઠાની આશરે 300 ગુણો નો જથ્થો જપ્ત કરીને ત્રણેય દુકાનો સીલ કરી હતી . પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી. પુરવઠા વિભાગ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું હતું અને મનપાની ટીમે સમગ્ર કામગીરી કરી ગરીબ લોકોને મળવાનું અનાજ સગેવગે થતા અટકાવ્યું હતું .

આ પણ વાંચો :

Surat: શહેરના ખુણા ખુણા પર રહેશે પોલીસની નજર, 595 નવા સીસીટીવી લગાડવાની તૈયારી

Surat : સુરત સ્ટેશને અડધાથી વધુ ટીકીટ બારીઓ બંધ રહેતા હાલાકી ભોગવી રહેલા મુસાફરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">