AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : માલધારી સમાજનો SMC કચેરી બહાર હલ્લાબોલ : કાયદેસર તબેલાઓ દુર કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ

મનપા (SMC) દ્વારા છેલ્લા ત્રણ દિવસથી અલગ - અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર તબેલાઓ દૂર કરવા સંદર્ભે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Surat : માલધારી સમાજનો SMC કચેરી બહાર હલ્લાબોલ : કાયદેસર તબેલાઓ દુર કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ
Maldhari People took rally outside SMC(File Image )
| Updated on: Aug 30, 2022 | 6:02 PM
Share

મહાનગર પાલિકા દ્વારા રખડતા ઢોર અને ગેરકાયદેસર તબેલાઓને દૂર કરવાના મુદ્દે હાથ ધરવામાં આવેલા અભિયાન વચ્ચે માલધારી સમાજ દ્વારા આજે મુગલીસરા ખાતે વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવતાં એક તબક્કે વાતાવરણ તંગ બની ગયું હતું. માલધારી સમાજ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવીને શહેરમાં આવેલા તમામ તબેલાઓ ગેરકાયદેસર ન હોવાની સાથે અલગ – અલગ રજુઆત કરવામાં આવી હતી.

આજે સવારે ડભોલી ખાતે એકઠા થયેલા માલધારી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો દ્વારા મોટી સંખ્યામાં બાઈક રેલી કાઢીને મુગલીસરા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મનપા દ્વારા રખડતા ઢોર અને ગેરકાયદેસર તબેલાઓ દુર કરવાની કથિત મનસ્વી કામગીરીને માલધારી સમાજને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડતું હોવાનો પણ આક્ષેપ માલધારી સમાજ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શનને પગલે એક તબક્કે મુગલીસરા ખાતે આવેલા અરજદારોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બીજી તરફ માલધારી સમાજ દ્વારા મુગીલસરામાં પ્રવેશવાની કોશિષ કરવાને પગલે એક તબક્કે વાતાવરણ તંગ થઈ ગયું હતું અને માર્શલો – સિક્યુરિટી સ્ટાફ દ્વારા મુખ્ય દરવાજાને બંધ કરી દેવાની ફરજ પડી હતી. આ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવવા પહોંચેલા માલધારી સમાજના આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે, મનપા દ્વારા જે તબેલાઓ ગેરકાયદેસર નથી તેનું પણ ડિમોલીશન કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે માલધારી સમાજને ભારે આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી અલગ – અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર તબેલાઓ દૂર કરવા સંદર્ભે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પહેલા દિવસે કતારગામ ઝોનમાં આંબા તલાવડી સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર તબેલાઓ હટાવવામાં આવ્યા હતા. જ્યારે છેલ્લા બે દિવસથી રાંદેર ઝોનમાં આવેલા જહાંગીરાબાદ બોટોનિકલ ગાર્ડન અને તેની આસપાસ આવેલા 46 જેટલા ગેરકાયદેસર તબેલાઓ દુર કરવામાં આવ્યા છે.

Follow Us
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
g clip-path="url(#clip0_868_265)">