સુરત : પાંડેસરા વિસ્તારના ગોરજીવાળામાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આગળ ગાતા દોડધામ મચી ગઈ છે. આગના વિકરાળ સ્વરૂપના કારણે યુનિટની ફાયર ફાઇટિંગ ફેસિલિટી દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા ન મળતા ફાયર બ્રિગેડને મદદ માટે કોલ અપાયો હતો.
ઉલ્લેખનીય છે જે આગ લાગતા કંપનીના કારીગરોમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાનું કારણ અંકબધ છે. ઘટનામાં મોટા નુકસાનના અહેવાલો વચ્ચે રાહતના સમાચાર એ મળ્યા છે કે ઘટનામાં જાનહાનીના કોઈ અહેવાલ સાંપડયા નથી. ફાયર ફાઇટરોની ઘટના સ્થળે આવી પહોંચી છે અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ ચાલી રહ્યા છે.
આ પણ વાંચો ગુજરાતને મળ્યું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, સુરત એરપોર્ટને મળ્યો ‘આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’નો દરજ્જો
Published On - 9:57 am, Fri, 2 February 24