AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન : સુરતમાં દાદા-દાદી પસંદગી મેળો યોજાયો

જીવનમાં અમુક પ્રકારનું જોડાણ હોવું ખૂબ જ જરૂરી છે. જીવનમાં કોઈ એવી વ્યક્તિ હોવી ખૂબ જ જરૂરી છે જેની સાથે આપણે એકબીજા સાથે વાત કરી શકીએ અને આપણી લાગણીઓ વ્યક્ત કરી શકીએ.

Surat : ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન : સુરતમાં દાદા-દાદી પસંદગી મેળો યોજાયો
Grandparents selection fair - Surat
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 9:26 AM
Share

સુરતના વરાછા (Varachha )વિસ્તારમાં આવેલી સૂર્યકિરણ સોસાયટીમાં અનોખા જીવન સાથી (Life Partner )પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 50 વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે જીવન સાથી પસંદગી મેળા માટે નોંધાયેલ કેટલાક વડીલો એવા હતા જેમને જીવનના કેટલાક ગંભીર સંજોગોના કારણે જીવન સાથી ગુમાવ્યા હતા. આવા  જીવન સાથી ગુમાવનારા વડીલોને એકત્ર કરવામાં આવ્યા હતા. જીવન સાથી પસંદગી મેળામાં 200 દાદા અને 75 દાદીમા નોંધાયા હતા.

જીવન સાથી પસંદગી મેળાના આયોજક પ્રવીણ સુતરિયાએ જણાવ્યું હતું કે મેળામાં 50 વર્ષથી વધુ વયના વૃદ્ધોએ નોંધણી કરાવી હતી. આ પ્રસંગે મોટાભાગના વડીલોએ સ્ટેજ પર આવીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. જેમાં મોટાભાગના વડીલોએ ઉંમરના આ તબક્કે એકલતાને સૌથી મોટી સમસ્યા ગણાવી હતી. વડીલો ઘરમાં ખૂબ એકલતા અનુભવી રહ્યા છે.

અમુક સ્ત્રી કે પુરૂષ વૃદ્ધ હોવા છતાં આર્થિક રીતે સક્ષમ હોય છે. પરંતુ જીવન સાથીનો સહારો ગુમાવી દીધો છે, જેના કારણે તેમના જીવનમાં એકલતા જોવા મળે છે. તેમને મદદ કરવા માટે આવું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, સારી વાત એ છે કે હવે સમાજના વડીલો પણ વિના સંકોચ મેળામાં રજીસ્ટ્રેશન કરાવીને પોતાનો જીવન સાથી શોધવા અહીં આવી રહ્યા છે.

જીવનમાં અમુક પ્રકારનું જોડાણ હોવું ખૂબ જ જરૂરી છે. જીવનમાં કોઈ એવી વ્યક્તિ હોવી ખૂબ જ જરૂરી છે જેની સાથે આપણે એકબીજા સાથે વાત કરી શકીએ અને આપણી લાગણીઓ વ્યક્ત કરી શકીએ. સારા જીવન સાથીની મદદથી જીવનના મુશ્કેલ રસ્તાઓ પણ સરળતાથી આગળ વધી જાય છે. આજની બદલાતી જીવનશૈલી અને જે રીતે હરીફાઈ ચાલી રહી છે તેમાં બાળકો વૃદ્ધ માતા-પિતાને તેમના પરિવાર માટે સમય આપી શકતા નથી.

એકલતા એ વૃદ્ધ માતા-પિતા માટે વધુ મુશ્કેલ છે જેમને આ દુનિયામાં જીવન સાથી નથી. સૌથી દુઃખદ સમય એ છે કે જ્યારે કોઈ પ્રવૃત્તિ ન હોય અને પરિવારના સભ્યો તેમની સાથે વધુ સમય વિતાવતા નથી. સમાજમાં ઘણા એવા વડીલો છે જેમનું જીવન ખરેખર મુશ્કેલ બની ગયું છે. તેથી જ જીવનના અંતિમ તબક્કામાં પણ તે જીવન સાથી માટે ઝંખે છે. ત્રણ વર્ષ પહેલા પણ સુરતમાં આ જ પ્રકારે દાદા-દાદી પસંદગી મેળો યોજાયો હતો, જેને ખુબ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.

આ પણ વાંચો : સસ્પેન્ડેડ સાંસદોના મામલે કેન્દ્રની પહેલ, 5 રાજકીય પક્ષોની બેઠક બોલાવાઈ, વિપક્ષે કહ્યું- બેઠકમાં સામેલ નહીં થાય

આ પણ વાંચો : Ahmedabad: કાચા માલમાં ભાવ વધારાથી ટેક્સટાઇલ વેપારીઓ ચિંતામાં, GST મુદ્દે વેપારીઓ આકરા પાણીએ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">