AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ત્રીજી લહેરમાં કોર્પોરેશને ચેકપોસ્ટ પરથી ટેસ્ટિંગ હટાવ્યું, દરરોજના 7થી 8 હજાર કેસ આવવાની સંભાવના કરી વ્યક્ત

સિવિલમાં 1,518 દર્દીઓની સામે 73 દર્દી દાખલ છે, જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 941 દર્દીઓની સામે 27 દર્દીઓ દાખલ છે.

Surat: ત્રીજી લહેરમાં કોર્પોરેશને ચેકપોસ્ટ પરથી ટેસ્ટિંગ હટાવ્યું, દરરોજના 7થી 8 હજાર કેસ આવવાની સંભાવના કરી વ્યક્ત
Surat Corporation removes testing from checkposts in third wave
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 1:12 PM
Share

સુરત (Surat)માં છેલ્લા 15 દિવસમાં 15 હજાર કરતા પણ વધારે કોરોના (Corona Virus)ના કેસો નોંધાયા છે. ઉત્તરાયણ (Uttarayan)ના દિવસે તો સુરતે કોરોનાના દર્દીઓની સંખ્યા મામલે અમદાવાદ (Ahmedabad)ને પણ પાછળ છોડી દીધું હતું. 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસની વાત કરીએ તો શુક્રવારે સુરત શહેરમાં 2,986 કેસો નોંધાયા હતા. જેની સામે 930 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. કોરોનાનો રિકવરી રેટ જે એક સમયે 100 ટકા નજીક પહોંચી ગયો હતો તે ઘટીને હવે 86.89 ટકા થઈ ગયો છે.

સિવિલમાં 1,518 દર્દીઓની સામે 73 દર્દી દાખલ છે, જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 941 દર્દીઓની સામે 27 દર્દીઓ દાખલ છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના દર્દીની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં 273 દર્દીઓ નોંધાયા છે.

જોકે ટેસ્ટિંગ વધારવાની જગ્યાએ હવે કોર્પોરેશન દ્વારા શહેરના રેલવે સ્ટેશન અને એરપોર્ટ સિવાયના ચેક પોસ્ટ પર ટેસ્ટિંગ ડોમ બંધ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. જોકે જે રેલવે સ્ટેશન પર પણ ટેસ્ટિંગ માટે મનપાની લાલીયાવાડી જોવા મળી હતી. કારણ કે અહીં ટેસ્ટિંગ કીટ સમયસર ન પહોંચતા અને ટેસ્ટિંગ કીટ ઓછી આવતા સ્ટાફને હાથ પર હાથ ધરીને બેસી રહેવાનો વારો આવે છે.

નાયબ આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે રોજના 22 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં 12 હજાર જેટલા આરટીપીસીઆર ટેસ્ટ અને 10 હજાર રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. કોર્પોરેશને 10 લાખ ટેસ્ટિંગ કીટ પણ ખરીદી છે. મનપા કમિશનરે ચેતવણી આપી છે કે હજી રોજના 7થી 8 હજાર કેસ આવી શકે છે. જો લોકો ભીડમાં માસ્ક હટાવશે તો સંક્રમણ નક્કી જ છે.

આ પણ વાંચો: Maharashtraમાં 15 ખાનગી લેબે કોરોના ટેસ્ટ ન કરતા નોટિસ ફટકરવામાં આવી, લાઈસન્સ રદ કરવાની ચેતવણી

આ પણ વાંચો: Surat: સિવિલના તબીબો અને કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત, હોસ્પિટલ દ્વારા ત્રીજી લહેર સામે લડવા વધારાના સ્ટાફની માંગણી કરાઈ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">