Surat: ત્રીજી લહેરમાં કોર્પોરેશને ચેકપોસ્ટ પરથી ટેસ્ટિંગ હટાવ્યું, દરરોજના 7થી 8 હજાર કેસ આવવાની સંભાવના કરી વ્યક્ત

સિવિલમાં 1,518 દર્દીઓની સામે 73 દર્દી દાખલ છે, જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 941 દર્દીઓની સામે 27 દર્દીઓ દાખલ છે.

Surat: ત્રીજી લહેરમાં કોર્પોરેશને ચેકપોસ્ટ પરથી ટેસ્ટિંગ હટાવ્યું, દરરોજના 7થી 8 હજાર કેસ આવવાની સંભાવના કરી વ્યક્ત
Surat Corporation removes testing from checkposts in third wave
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 1:12 PM

સુરત (Surat)માં છેલ્લા 15 દિવસમાં 15 હજાર કરતા પણ વધારે કોરોના (Corona Virus)ના કેસો નોંધાયા છે. ઉત્તરાયણ (Uttarayan)ના દિવસે તો સુરતે કોરોનાના દર્દીઓની સંખ્યા મામલે અમદાવાદ (Ahmedabad)ને પણ પાછળ છોડી દીધું હતું. 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસની વાત કરીએ તો શુક્રવારે સુરત શહેરમાં 2,986 કેસો નોંધાયા હતા. જેની સામે 930 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. કોરોનાનો રિકવરી રેટ જે એક સમયે 100 ટકા નજીક પહોંચી ગયો હતો તે ઘટીને હવે 86.89 ટકા થઈ ગયો છે.

સિવિલમાં 1,518 દર્દીઓની સામે 73 દર્દી દાખલ છે, જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 941 દર્દીઓની સામે 27 દર્દીઓ દાખલ છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના દર્દીની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં 273 દર્દીઓ નોંધાયા છે.

જોકે ટેસ્ટિંગ વધારવાની જગ્યાએ હવે કોર્પોરેશન દ્વારા શહેરના રેલવે સ્ટેશન અને એરપોર્ટ સિવાયના ચેક પોસ્ટ પર ટેસ્ટિંગ ડોમ બંધ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. જોકે જે રેલવે સ્ટેશન પર પણ ટેસ્ટિંગ માટે મનપાની લાલીયાવાડી જોવા મળી હતી. કારણ કે અહીં ટેસ્ટિંગ કીટ સમયસર ન પહોંચતા અને ટેસ્ટિંગ કીટ ઓછી આવતા સ્ટાફને હાથ પર હાથ ધરીને બેસી રહેવાનો વારો આવે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

નાયબ આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે રોજના 22 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં 12 હજાર જેટલા આરટીપીસીઆર ટેસ્ટ અને 10 હજાર રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. કોર્પોરેશને 10 લાખ ટેસ્ટિંગ કીટ પણ ખરીદી છે. મનપા કમિશનરે ચેતવણી આપી છે કે હજી રોજના 7થી 8 હજાર કેસ આવી શકે છે. જો લોકો ભીડમાં માસ્ક હટાવશે તો સંક્રમણ નક્કી જ છે.

આ પણ વાંચો: Maharashtraમાં 15 ખાનગી લેબે કોરોના ટેસ્ટ ન કરતા નોટિસ ફટકરવામાં આવી, લાઈસન્સ રદ કરવાની ચેતવણી

આ પણ વાંચો: Surat: સિવિલના તબીબો અને કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત, હોસ્પિટલ દ્વારા ત્રીજી લહેર સામે લડવા વધારાના સ્ટાફની માંગણી કરાઈ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">