AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : નાનપુરામાં મચ્છી માર્કેટના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી

સુરત મહાનગરપાલિકાની (SMC) સતત રજૂઆતો બાદ ઓથોરિટીના અધિકારીઓએ 27 ફેબ્રુઆરી-2022ના રોજ સ્થળ વિઝિટ કરી હતી. આ સ્થળ વિઝિટ બાદ નેશનલ મોનુમેન્ટ ઓથોરિટી દ્વારા નાનપુરા, લક્કડકોટ ખાતે ફિશ માર્કેટ અને એસએમસી ઓફિસ બાંધવા માટે રિવાઇઝ એનઓસી ઇસ્યુ કરી છે.

Surat : નાનપુરામાં મચ્છી માર્કેટના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી
Traders happy after approval of fish market (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 9:56 AM
Share

છેલ્લાં બે વર્ષથી ટલ્લે ચડેલા નાનપુરા,(Nanpura ) લક્કડકોટ સ્થિત મચ્છી માર્કેટના(Fish Market ) પ્રોજેક્ટ માટે હવે કેન્દ્ર સરકારના (Government ) સંબંધિત વિભાગે એનઓસી આપી દેતાં આ પ્રોજેક્ટ સાકાર કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. હવે શહેરની વચોવચ્ચ અદ્યતન અને કોલ્ડ સ્ટોરેજની સગવડ સાથેની વિશાળ મચ્છી માર્કેટ બનશે. છેલ્લા ઘણા વર્ષોથી અટવાઇ રહેલા આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની પણ મંજૂરી મળી જતાં સ્થાનિક વેપારીઓ અને નગરસેવકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

અગાઉ આ પ્રોજેક્ટ માટે 2018માં કામગીરી શરુ કરાઈ હતી. પરંતુ  નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટી દ્વારા પ્રોજેક્ટની ઊંચાઇ બાબતે વાંધો ઉઠાવાતાં 2020માં આ બાંધકામ અટકાવી દેવું પડ્યું હતું. બાદ મનપા દ્વારા ફિશ માર્કેટના પ્લાનમાં સુધારો કરી મોન્યુમેન્ટ ઓથોરિટીની મંજૂરી હેતુ મોકલવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાની સતત રજૂઆતો બાદ ઓથોરિટીના અધિકારીઓએ 27 ફેબ્રુઆરી-2022ના રોજ સ્થળ વિઝિટ કરી હતી. આ સ્થળ વિઝિટ બાદ નેશનલ મોનુમેન્ટ ઓથોરિટી દ્વારા નાનપુરા, લક્કડકોટ ખાતે ફિશ માર્કેટ અને એસએમસી ઓફિસ બાંધવા માટે રિવાઇઝ એનઓસી ઇસ્યુ કરી છે.

જે મુજબ હવે ફિશ માર્કેટ પ્રોજેક્ટની હાઇટ 9.259 મીટર અને મનપાએ બિલ્ડિંગ માટે 16.10 મીટર સુધીની હાઇટ માટે બાંધકામની મંજૂરી આપી છે. તેથી બે વર્ષથી ટલ્લે ચડેલા આ પ્રોજેક્ટને પુનઃ શરૂ કરવા રસ્તો સાફ થઇ ગયો હોવાથી નાનપુરા, માછીવાડ વિસ્તારના સ્થાનિક વેપારીઓએ આ પ્રોજેક્ટ માટે સતત મનપામાં રજૂઆતો કરનારા સ્થાનિક કોર્પોરેટરો અશોક રાંદેરિયા અને વ્રજેશ ઉનડકટને સ્થળ પર બોલાવી આભાર માન્યો હતો અને અને મીઠાઈ ખવડાવી તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

આ પણ વાંચો :

Surat : 11 વર્ષથી કાગળ પર અટવાયેલો હતો કન્વેનશનલ બેરેજ પ્રોજેકટ, ખર્ચ 1 વર્ષમાં 500 થી વધીને 941 કરોડ થયો

Surat : નવા વેરિઅન્ટને લઈને તકેદારી : કોરોનાના કેસો વધશે તો ટેસ્ટિંગ વધશે, હાલ રોજના 800 થી 1000 ટેસ્ટ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">