AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: વિસર્જનના દિવસે બીઆરટીએસ બસ સેવાના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

વિસર્જનપ્રક્રિયાને લઈને તંત્ર દ્વારા પણ પુરેપુરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન યાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસ બંદોબસ્તથી લઈને કૃત્રિમ તળાવનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે.

Surat: વિસર્જનના દિવસે બીઆરટીએસ બસ સેવાના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Surat: BRTS bus service timings changed on dissolution day
| Updated on: Sep 08, 2022 | 4:42 PM
Share

સુરત મહાનગરપાલિકા (Surat ) દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને બી.આર.ટી.એસ(BRTS). બસ તેમજ સીટી બસની સુવિધા પુરી પાડવામાં આવી રહેલ છે. જોકે 9 સપ્ટેમ્બર શુક્રવારના રોજ ગણપતિ વિસર્જન યાત્રાનો કાર્યક્રમ હોવાથી પુરા શહેરમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામાં બાહર પાડીને શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો ગણપતિ વિસર્જન યાત્રા દરમ્યાન સવારે કલાક 7 કલાક થી ગણપતિજીની મૂર્તિ વિસર્જન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેથી પાલિકા દ્વારા બીઆરટીએસ અને સીટી બસ સેવાના સમયમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.

બસ સેવાના સમયમાં કરાયો આ ફેરફાર

સુરત મહાનગર પાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આવતીકાલે ગણેશ વિસર્જન યાત્રા હોવાથી ગણેશ વિસર્જનનાં દિવસે સીટીબસ તથા બીઆરટીએસનાં ઓપરેશનમાં મુશ્કેલીઓ પડવાની પુરેપુરી સંભાવના હોય બસોનું ઓપરેશન ચાલુ રાખવું મુશ્કેલ ભર્યુ હોવા છતાં જાહેર જનતાને અગવડતા ન પડે તે માટે બસ સેવા ચાલુ રહેશે. જોકે તેના નિયમિત સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સવારે 11 વાગ્યા સુધી જ બસ ઓપરેશન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુમાં જણાવી દઈએ કે પાલિકા દ્વારા શહેરમાં 55 જેટલા રૂટ પર બસ સેવા કાર્યરત છે અને પ્રતિદિન હજારો નાગરિકો સેવાનું લાભ લઈ રહ્યા છે. ત્યારે આ વખતે ગણેશ ઉત્સવ પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે અને શુક્રવારના રોજ ગણેશ વિસર્જન યાત્રા યોજનાર છે, જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાશે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને રાખીને અને નાગરિકોને કોઈ પ્રકારની અવગડતા કે તકલીફ ના પડે તેનું ધ્યાન રાખીને બસ સેવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

વિસર્જનપ્રક્રિયાને લઈને તંત્ર દ્વારા પણ પુરેપુરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન યાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસ બંદોબસ્તથી લઈને કૃત્રિમ તળાવનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે પાંચ ફૂટ કરતા મોટી મૂર્તિઓ વધુ બિરાજમાન થયેલી હોય સૌથી વધુ વિસર્જન હજીરા રોડ તરફ થવાની સંભાવના છે. જેથી આ રોડ પર પણ વિશેષ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">