AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : શહેરને પ્રદુષણમુક્ત રાખવા સુરતના આ યુવાનોનું ગ્રુપ ચલાવે છે અનોખું અભિયાન

વર્ષ 2019માં આ સંસ્થા દ્વારા આગ બુઝાઓ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનમાં 850 કરતા વધારે યુવાનો જોડાયેલા છે. જે સમગ્ર શહેરમાં ખાલી જગ્યા કે વેરાન જગ્યા પર સળગાવવામાં આવતા કચરાને રોકવાનો પ્રયાસ કરે છે.

Surat : શહેરને પ્રદુષણમુક્ત રાખવા સુરતના આ યુવાનોનું ગ્રુપ ચલાવે છે અનોખું અભિયાન
A group of young people from Surat run a unique campaign to keep the city pollution free(File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 7:11 AM
Share

સુરત(Surat ) શહેરમાં ઘણા લોકો ગેરકાયદેસર અને ખોટી રીતે કચરાનો(Waste ) નિકાલ કરે છે. કચરાના વૈજ્ઞાનિક નિકાલને બદલે સળગાવવાના(Burn ) કિસ્સાઓ સામે આવે છે. આ અંગે મહાનગરપાલિકા પ્રશાસનને ફરિયાદ કરવા છતાં કોઈ ખાસ પગલાં ભરવામાં આવતા નથી. આવી સ્થિતિમાં શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે શહેરના યુવાનોના જૂથે જાતે પ્રયાસો શરૂ કર્યા હતા.

સુરતમાં છેલ્લા ત્રણ વર્ષથી એક હજાર યુવાનોનું જૂથ સ્વચ્છતા અભિયાન સાથે લોકોને જાગૃત પણ કરી રહ્યું છે. શહેરને પ્રદુષણથી બચાવવા માટે કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે છે, ‘પ્રોજેક્ટ સુરત’ નામે કામ કરતા ગ્રુપના સભ્યોએ જણાવ્યું કે, શહેરમાં વાયુ પ્રદૂષણની સમસ્યા છે. પ્રદૂષિત હવા લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આવા સંજોગોમાં અનેક ઔદ્યોગિક એકમો અને લોકો કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી સળગાવી દે છે.

જેના કારણે ત્રણ વર્ષમાં 50 હજાર કિલોથી વધુ કચરો વર્ગીકૃત કરીને નગરપાલિકાને સુપરત કર્યા બાદ હવા પ્રદૂષિત થાય છે. ત્રણ વર્ષ પહેલા કચરો સળગાવવાની તસ્વીરો સાથે નગરપાલિકા પ્રશાસનને પણ ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. આવી સ્થિતિમાં અમે જાતે જ શહેરને પ્રદૂષણમુક્ત બનાવવાનું નક્કી કર્યું છે.શહેરમાં ગ્રુપના એક હજાર સ્વયંસેવકો છે, જેઓ દર રવિવારે આ કામગીરી કરે છે.

ખાડીઓ, નદી કિનારો અને નહેરોની સફાઈ કર્યા બાદ કચરો એકત્ર કરવામાં આવે છે, ત્યારબાદ તેનું વર્ગીકરણ કરીને મહાનગરપાલિકાને સોંપવામાં આવે છે. આ ગ્રુપનો દાવો છે કે ત્રણ વર્ષમાં 50 હજાર કિલો કચરો એકત્ર કરીને મહાનગરપાલિકાને સોંપવામાં આવ્યો છે. જ્યાં પણ કચરો સળગાવવાના પ્રયાસો થાય છે ત્યાં તેને અટકાવી દેવામાં આવે છે અને કચરો મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગને સોંપવામાં આવે છે, જેથી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય અને શહેરને પ્રદુષણથી બચાવી શકાય.

વર્ષ 2019માં આ સંસ્થા દ્વારા આગ બુઝાઓ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનમાં 850 કરતા વધારે યુવાનો જોડાયેલા છે. જે સમગ્ર શહેરમાં ખાલી જગ્યા કે વેરાન જગ્યા પર સળગાવવામાં આવતા કચરાને રોકવાનો પ્રયાસ કરે છે. પ્રોજેક્ટ સુરતના સંસ્થાપક આકાશ બંસલે જણાવ્યું હતું કે જ્યાં પણ કચરો સળગાવ્યો હોવાની માહિતી પ્રોજેક્ટ સુરતને મળે છે. તે જાણકારી સંસ્થા સાથે જોડાયેલા સ્વયંસેવકોને આપવામાં આવે છે. અને તેઓ બીજા સભ્યો સાથે ત્યાં પહોંચી જાય છે.

તેઓ ત્યાં પહોંચીને ફાયર વિભાગને જાણકારી આપે છે. અને આગ પર કાબુ મેળવીને કચરાના નિકાલનો પ્રયત્ન કરે છે. સાથે જ સ્થાનિકોને તેને રોકવા વિષે સમજણ પણ આપે છે. છેલ્લા બે વર્ષથી આ સંસ્થા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ કામગીરી કરીને લોકોમાં જાગૃતતા લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :

Surat : ડાયમંડ અને ટેક્સ્ટાઇલ બાદ હવે કેળા અને દાડમ બનશે સુરતના એકસપોર્ટની નવી ઓળખ

Surat : કોરોનાના પ્રતિબંધો હળવા થતા જ લગ્નસરામાં આપવામાં આવતી સસ્તી સાડીઓની ડિમાન્ડ વધી, વેપારીઓ તૈયારીમાં લાગ્યા

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">