AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોરોના કાળમાં રેલવે સ્ટેશન પર મળેલા 36 બાળકોનો પરિવાર સાથે ભેંટો કરાવાયો

સુરત રેલવે પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાક બાળકો ટ્રેનમાં ચઢતી વખતે પરિવારજનોથી છૂટા થઈ જાય છે. તો કેટલાક માતા-પિતાના ઠપકા, માર, ઘર કંકાસ, આર્થિક તંગી વગેરે કારણોથી ઘરેથી ભાગી જાય છે.

Surat : કોરોના કાળમાં રેલવે સ્ટેશન પર મળેલા 36 બાળકોનો પરિવાર સાથે ભેંટો કરાવાયો
Surat Railway Station
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 4:11 PM
Share

કોરોનાકાળમાં માતા-પિતાનો ઠપકો, ગૃહ કંકાસ અને આર્થિક તંગી જેવા કારણોથી ઘરથી બહાર ભાગેલા 74 બાળકો રેલવે સ્ટેશન પર મળી આવ્યા છે. આરપીએફ દ્વારા 36 બાળકોના તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે. બાકી આડત્રીસ બાળકોને એનજીઓને સોંપી દેવામાં આવ્યા છે.

આરપીએફના જણાવ્યા પ્રમાણે 2020 માં કોરોનાકાળ દરમિયાન કુલ 25 બાળકો મળ્યા હતા. જેમાંથી 16 જેટલા બાળકોને પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. જ્યારે 9 બાળકોને ચાઈલ્ડ લાઈન એનજીઓને સોંપી દેવામાં આવ્યા હતા. આ વર્ષે અત્યાર સુધી કુલ 49 બાળકોને રેલવે  સ્ટેશનથી પકડવામાં આવ્યા હતા. જેમાંથી 20 બાળકો તેમના પરિવારજનો સાથે ભેંટો કરાવવામાં આવ્યો હતા. જ્યારે 29 બાળકોને ચાઈલ્ડ લાઈન એનજીઓને સોંપવામાં આવ્યા હતા.

આ વર્ષે પશ્ચિમ રેલવેના બધા જ સ્ટેશનો પર કુલ 919 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ બાળકો ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, બિહાર, મહારાષ્ટ્રથી ભાગીને આવ્યા હતા. કેટલાક બાળકો ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી ભાગીને આવ્યા હતા. સુરત સ્ટેશન પર આરપીએફ એ તેમને રખડતા પકડ્યા હતા. સુરત સ્ટેશન પર રોજ અંદાજે દોઢસો જેટલી ટ્રેન રોકાય છે અને લગભગ 45 હજાર જેટલા મુસાફરો અવર જવર કરે છે. અમુક બાળકો સ્ટેશન પર ઉતરી જાય છે, તો કેટલાક પરિવારથી વિખુટા પડી જાય છે.

પાછલા ચાર વર્ષની વાત કરવામાં આવે તો સુરત સ્ટેશન પર 141 જેટલા બાળકો મળ્યા હતા. સુરત સ્ટેશન પર કોરોના પહેલા રોજ 250 એક્સપ્રેસ ટ્રેનોની અવર જવર થતી હતી. સુરત રેલવે પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાક બાળકો ટ્રેનમાં ચઢતી વખતે પરિવારજનોથી છૂટા થઈ જાય છે. તો કેટલાક માતા-પિતાના ઠપકા, માર, ઘર કંકાસ, આર્થિક તંગી વગેરે કારણોથી ઘરે થી ભાગી જાય છે. આવા બાળકોની ઉંમર બે વર્ષથી 18 વર્ષ સુધીની હોય છે. તે પ્લેટફોર્મ પર જ રાત દિવસનો સમય ગુજારે છે અને ઉદાસ ચહેરા સાથે ભટકતા મળી જાય છે.

અન્ય અસામાજિક તત્વોના હાથે ચડી જાય તો બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે અને કેટલાક બાળકો તો ગુનાખોરીના રવાડે પણ ચડી જતા હોય છે. ત્યારે આવા બાળકોને પરિવારજનો સાથે ભેંટો કરવાનું કામ રેલવે પોલીસ વર્ષોથી કરતી આવી છે.

આંકડા પ્રમાણે જોવા જઈએ તો આટલા બાળકો ચાર વર્ષથી રેલવે સ્ટેશન પર મળી આવ્યા છે.

વર્ષ                      બાળકો 2021                      49 2020                      25 2019                       31 2018                      36

કુલ                         141

આ પણ વાંચો : Surat : ડાયમંડ સીટી સુરતમાં છે દેશના સૌથી મોંઘા 600 કરોડના શ્રી ગણેશ

આ પણ વાંચો : યુદ્ધની સ્થિતિ અને ઈમરજન્સી લેન્ડીંગ માટે રાજ્યમાં આ 2 હાઈવે પર એરસ્ટ્રીપ જેવી સુવિધા ઉભી કરવામાં આવશે

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
g clip-path="url(#clip0_868_265)">