AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખુશખબર: બે મહિના બાદ સુરતથી મહારાષ્ટ્રની એસટી બસ સેવા શરૂ, મુસાફરોને થશે રાહત

કોરોનાની બીજી લહેરને કારણે ઘણી બધી સેવાઓ ઠપ પડી ગઈ હતી. જેમાં એક હતી એસટી બસ સેવા. જોકે હવે સુરતથી મહારાષ્ટ્ર જતા યાત્રીઓ માટે સારા સમાચાર છે કે આ બસો ફરી શરુ કરવામાં આવી છે.

ખુશખબર: બે મહિના બાદ સુરતથી મહારાષ્ટ્રની એસટી બસ સેવા શરૂ, મુસાફરોને થશે રાહત
પ્રતિકાત્મક તસ્વીર
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 06, 2021 | 3:49 PM
Share

માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોનાનો હાહાકાર વધી જવાને કારણે શહેરમાં આવતી જતી મહારાષ્ટ્રની એસ.ટી બસો બંધ કરી દેવામાં આવી હતી. જોકે હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે તેમજ જનજીવન પાટા ઉપર આવી રહ્યું છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સુરત એસટી વિભાગ દ્વારા આજથી એટલેકે મંગળવારથી મહારાષ્ટ્ર જતી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. સવારથી જ પ્રથમ વરસાદે મહારાષ્ટ્રની બસો ચાલુ કરી દેવામાં આવી છે. આજે પહેલા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે સુરતથી માલેગાવ જતી બસને ઉપાડવામાં આવી હતી.

એસ.ટી.ના અધિકારીઓને સુરતથી રોજની 30 થી 35 જેટલી બસો શિડ્યુલડ હોય છે. જોકે કોરોના મહામારીને કારણે છેલ્લા માર્ચ અને એપ્રિલ મહિનાથી એસટી બસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આજથી એટલે કે મંગળવારથી શિડયુલમાં 15 બસો ચાલુ કરવામાં આવી છે અને આવતીકાલથી વધુ 15 બસો ચાલુ કરવામાં આવશે. સુરતથી મહારાષ્ટ્ર, ધુલિયા, માલેગાવ, પાંચેર, અમલનેર અને ચોપડા, બોરીવલી સુધી બસો દોડે છે. બસ બંધ હોવાને કારણે રોજના હજારો મુસાફરો અટવાઇ જાય છે. તેમજ સુરત એસટી વિભાગને પ્રતિદિન રૂપિયા 8 લાખથી વધુનું નુકસાન થયું હતું.

બસો ચાલુ કરવામાં આવી રહી છે જેને લીધે મુસાફરોને પણ રાહત થશે. બીજી તરફ લીંબાયત વિસ્તારમાંથી ખાસ કરીને મહારાષ્ટ્રના ધુલિયા, માલેગાવ સહિતના શહેરોમાં જતી ખાનગી લક્ઝરી બસના સંચાલકો દ્વારા લૂંટફાટ મચાવવામાં આવી હતી. સ્થિતિ જોઈ અને સરકારી બસો બંધ હોવાનો ફાયદો ઉઠાવીને કેટલાક ખાનગી બસના સંચાલકો લોકો પાસેથી ભાડા મામલે ઉઘાડી લૂંટ કરી રહ્યા હતા. જોકે હવે એસટી બસો ચાલુ થઈ જવાથી મહારાષ્ટ્ર આવતા જતા મુસાફરોને રાહત થશે.

આ પણ વાંચો: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મળી બેઠક, જાણો કઇ ઓફલાઈન પરીક્ષા ક્યારે લેવાશે?

આ પણ વાંચો: સુરતમાં પે એન્ડ પાર્ક કોન્ટ્રાકટમાં કશુંક રંધાયા હોવાની ચર્ચા : વિજિલન્સ તપાસની માંગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">