ખુશખબર: બે મહિના બાદ સુરતથી મહારાષ્ટ્રની એસટી બસ સેવા શરૂ, મુસાફરોને થશે રાહત

કોરોનાની બીજી લહેરને કારણે ઘણી બધી સેવાઓ ઠપ પડી ગઈ હતી. જેમાં એક હતી એસટી બસ સેવા. જોકે હવે સુરતથી મહારાષ્ટ્ર જતા યાત્રીઓ માટે સારા સમાચાર છે કે આ બસો ફરી શરુ કરવામાં આવી છે.

ખુશખબર: બે મહિના બાદ સુરતથી મહારાષ્ટ્રની એસટી બસ સેવા શરૂ, મુસાફરોને થશે રાહત
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 06, 2021 | 3:49 PM

માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોનાનો હાહાકાર વધી જવાને કારણે શહેરમાં આવતી જતી મહારાષ્ટ્રની એસ.ટી બસો બંધ કરી દેવામાં આવી હતી. જોકે હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે તેમજ જનજીવન પાટા ઉપર આવી રહ્યું છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સુરત એસટી વિભાગ દ્વારા આજથી એટલેકે મંગળવારથી મહારાષ્ટ્ર જતી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. સવારથી જ પ્રથમ વરસાદે મહારાષ્ટ્રની બસો ચાલુ કરી દેવામાં આવી છે. આજે પહેલા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે સુરતથી માલેગાવ જતી બસને ઉપાડવામાં આવી હતી.

એસ.ટી.ના અધિકારીઓને સુરતથી રોજની 30 થી 35 જેટલી બસો શિડ્યુલડ હોય છે. જોકે કોરોના મહામારીને કારણે છેલ્લા માર્ચ અને એપ્રિલ મહિનાથી એસટી બસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આજથી એટલે કે મંગળવારથી શિડયુલમાં 15 બસો ચાલુ કરવામાં આવી છે અને આવતીકાલથી વધુ 15 બસો ચાલુ કરવામાં આવશે. સુરતથી મહારાષ્ટ્ર, ધુલિયા, માલેગાવ, પાંચેર, અમલનેર અને ચોપડા, બોરીવલી સુધી બસો દોડે છે. બસ બંધ હોવાને કારણે રોજના હજારો મુસાફરો અટવાઇ જાય છે. તેમજ સુરત એસટી વિભાગને પ્રતિદિન રૂપિયા 8 લાખથી વધુનું નુકસાન થયું હતું.

બસો ચાલુ કરવામાં આવી રહી છે જેને લીધે મુસાફરોને પણ રાહત થશે. બીજી તરફ લીંબાયત વિસ્તારમાંથી ખાસ કરીને મહારાષ્ટ્રના ધુલિયા, માલેગાવ સહિતના શહેરોમાં જતી ખાનગી લક્ઝરી બસના સંચાલકો દ્વારા લૂંટફાટ મચાવવામાં આવી હતી. સ્થિતિ જોઈ અને સરકારી બસો બંધ હોવાનો ફાયદો ઉઠાવીને કેટલાક ખાનગી બસના સંચાલકો લોકો પાસેથી ભાડા મામલે ઉઘાડી લૂંટ કરી રહ્યા હતા. જોકે હવે એસટી બસો ચાલુ થઈ જવાથી મહારાષ્ટ્ર આવતા જતા મુસાફરોને રાહત થશે.

આ પણ વાંચો: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મળી બેઠક, જાણો કઇ ઓફલાઈન પરીક્ષા ક્યારે લેવાશે?

આ પણ વાંચો: સુરતમાં પે એન્ડ પાર્ક કોન્ટ્રાકટમાં કશુંક રંધાયા હોવાની ચર્ચા : વિજિલન્સ તપાસની માંગ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">