Surat: પશુ નિયંત્રણ બિલના વિરોધમાં માલધારીઓ હવે લડી લેવાના મૂડમાં, કલેક્ટર કચેરીએ યોજ્યા ધરણા

માલધારી સમાજ (Maldhari Community) દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યુ કે અમારા માલધારી સમાજના સંગઠનને રબારી સમાજની 13 કોમનો સહયોગ છે. સરકાર નહીં માને તોગુજરાતમાં અંદાજિત 4.50 લાખ લોકો ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવો કરશે.

Surat: પશુ નિયંત્રણ બિલના વિરોધમાં માલધારીઓ હવે લડી લેવાના મૂડમાં, કલેક્ટર કચેરીએ યોજ્યા ધરણા
Protest against Animal Control Bill by Maldharis Community at collector office Surat
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 18, 2022 | 4:49 PM

ગુજરાતમાં (Gujarat) રસ્તે રખડતા ઢોર મામલે સરકાર દ્વારા લાવવામાં આવેલા બીલને મુખ્યપ્રધાને હાલ પૂરતું મોકૂફ રાખવાની જાહેરાત કરી છે, પરંતુ માલધારી સમાજ દ્વારા આ બિલને વિધાનસભામાં (Assembly) રદ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. સરકારે બિલ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે, પરંતુ આગામી દિવસોમાં તે લોલીપોપ સમાન સાબિત થવાનું માલધારી સમાજ (Maldhari Community) માની રહ્યો છે. જેથી ગુજરાત માલધારી સમાજ દ્વારા સમગ્ર રાજ્યમાં કલેકટર કચેરીએ ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજે સુરત શહેર માલધારી સમાજના પ્રમુખ કનુ દેસાઈની આગેવાનીમાં સુરત કલેકટર કચેરી સામે સવારે 11થી 4 વાગ્યા સુધી ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે સુરત શહેર માલધારી મહા પંચાયતના પ્રમુખ કનુ દેસાઈએ જણાવ્યું કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 156 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકામાં ગાયો અને ગોવાળોના વિરોધમાં કાળો કાયદો લાવીને શહેરી વિસ્તારને ગામડાઓમાં ભેળવી સરકારી પડતર જમીન અને ગૌચરો તેમના માનિતા બિલ્ડરો ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનું વિધેયક ગુજરાત સરકાર લાવવાની વાત કરે છે. તે સંદર્ભમાં આજે 18મી એપ્રિલે ગુજરાત માલધારી મહાપંચાયત તમામ નગરપાલિકા અને 8 મહાનગર પાલિકાના વિસ્તારોમાં કલેકટર કચેરીએ ધરણા યોજવામાં આવ્યા.

જે અંતર્ગત સુરતમાં પણ માલધારી સમાજ દ્વારા ગ્રુપ મીટિંગો અને ખાટલા બેઠકો શરૂ કરી દેવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે આજે સુરત કલેકટર કચેરીએ માલધારી સમાજ દ્વારા સવારે 11 વાગ્યાથી કલાકેથી સાંજના 4 વાગ્યા સુધી ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

માલધારી સમાજે ઉપવાસ પર બેસી કાળા કાયદાનો ગાંધી ચિંધ્યા માર્ગે શાંત રીતે વિરોધ કર્યો હતો. માલધારી સમાજનો આક્ષેપ છે કે ભૂતકાળની જેમ નિર્દોષ સમાજોને લોલીપોપ આપીને ઘણા બધા સમાજોને ગુજરાત સરકારે છેતર્યા છે. તેવી જ રીતે અમારા માલધારી સમાજને પણ ગુજરાત સરકાર છેતરવા આવી હતી, પરંતુ અમારી ગુજરાત સરકાર સમક્ષ માગણી છે કે ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર બોલાવી અથવા ગુજરાત સરકાર લેખિતમાં કાળો કાયદો રદ કરશે તેવી બાહેંધરી આપે.

માલધારી સમાજ દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યુ કે અમારા માલધારી સમાજના સંગઠનને રબારી સમાજની 13 કોમનો સહયોગ છે. સરકાર નહીં માને તો રબારી, ચારણ, આહિર સહિતની આ તમામ કોમના ગુજરાતમાં અંદાજિત 4.50 લાખ લોકો ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવો કરશે. તેમ છતાં સરકાર માલધારી સમાજની માગ નહીં સંતોષે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો સામૂહિક રીતે વિરોધ કરવાની ફરજ પડશે.

આ પણ વાંચો- Surat: સિવિલ હોસ્પિટલમાં અદ્યતન તબીબી મશીનરી સેવાઓ શરુ કરવા ઉઠી માગ, ધારાસભ્ય વિવેક પટેલે સંકલન બેઠકમાં કરી રજૂઆત

આ પણ વાંચો-Ahmedabad: હત્યાનો પ્રયાસ લાઈવ સીસીટીવીમાં થયો કેદ, પોલીસે આરોપી કરી ધરપકડ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">