Surat : શહેર પોલીસ દ્વારા ચોક બજાર સ્થિત નવનિર્મિત કિલ્લામાં પોલીસ સંભારણા દિવસ ઉજવાયો

|

Oct 21, 2022 | 11:13 AM

ચોક બજાર સ્થિત કિલ્લા ખાતે યોજાયેલ પોલીસ સંભારણા દિવસ તરીકેના કાર્યક્રમમાં શહીદ પોલીસ જવાનોને ડિસ્પ્લે બેન્ડ દ્વારા સલામી અને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા છે.

Surat : શહેર પોલીસ દ્વારા ચોક બજાર સ્થિત નવનિર્મિત કિલ્લામાં પોલીસ સંભારણા દિવસ ઉજવાયો
Police Remembrance Day was celebrated by Surat City Police in the newly constructed fort located at Chowk Bazar

Follow us on

વર્ષ 1959 ની 21 મી ઓકટોબરના રોજ લદાખ (Ladakh )ખાતે ચીની સૈનિક દળ સાથેની થયેલ મુઠભેડમાં શહીદ થયેલા દસ જેટલા આઈબી(IB) અને સીઆરપીએફના (CRPF) જવાનોની યાદમાં પોલીસ સંભારણા દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા ચોક બજાર સ્થિત નવનિર્મિત કિલ્લામાં પોલીસ સંભારણા દીવસ તરીકે મણાવી શહીદ પોલીસ જવાનોને ડિસ્પ્લે બેન્ડ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી. જે પ્રસંગે શહેર પોલીસ કમિશ્નર અજય તોમર સહિત શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે કાર્યક્રમ શહેરના સમાજ શ્રેષ્ઠિઓની પણ મોટી ઉપસ્થિતિ રહી હતી.દરેક તહેવારો દરમ્યાન શહેર પોલીસને બંદોબસ્ત માં મદદરૂપ બનતા સેવાકીય અગેવાનોનું પણ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

સુરતના ચોક બજાર સ્થિત કિલ્લા ખાતે આયોજિત પોલીસ સંભારણા દિવસ ની ઉજવણી નિમિત્તે હાજર રહેલા પોલીસ કમિશ્નર અજય તોમરએ જણાવ્યું હતું કે લદાખમાં વર્ષ 1959 ની 21મી ઓક્ટોબરના રોજ ચીની સૈનિકો સાથે સીમા રક્ષા દરમ્યાન આઈબી અને સીઆરપીએફ ના દસ જવાનો  શહીદ થઈ ગયા હતા. દેશની સીમાના રક્ષા માટે આ શહીદ પોલીસ જવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. જ્યાં આ શહિદ પોલીસ જવાનોની યાદમાં દર વર્ષે 21મી ઓકટોબરને પોલીસ સંભારણા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જેના ભાગરૂપે આજ રોજ ચોક બજાર સ્થિત કિલ્લા ખાતે યોજાયેલ પોલીસ સંભારણા દિવસ તરીકેના કાર્યક્રમમાં શહીદ પોલીસ જવાનોને ડિસ્પ્લે બેન્ડ દ્વારા સલામી અને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા છે. વર્ષ 1947 થી હમણાં સુધી 36 હજાર જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓને દેશની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતી આપી છે. જેથી દેશવાસીઓમાં દેશ પ્રેમ પ્રત્યેની ચેતના અને દેશભક્તિની ભાવના પ્રજ્વલ્લિત થાય તેવો પ્રયાસ શહેર પોલીસ તરફથી કરવામાં આવ્યો છે.આ પ્રસગે શહેર પોલીસ ને હરહંમેશ દરેક તહેવારો દરમ્યાન કાયદો -વ્યવસ્થા અને ટ્રાફિક બંદોબસ્તમાં મદદરૂપ બનતા સામાજિક સંસ્થાઓના આગેવાનોનું પણ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું છે..

Published On - 10:54 am, Fri, 21 October 22

Next Article