Surat: મોરબી દુર્ઘટના બાદ સાવચેતી માટે વનિતા આશ્રમનો મેળો બે દિવસ માટે બંધ કરાવાયો, રાઇડસની ફિટનેસ સર્ટિફીકેટ બાદ જ મળશે મંજુરી
દિવાળીના વેકેશનમાં શરુ થતો સુરતના વનિતા આશ્રમનો મેળો ખૂબ જ મોટો માનવામાં આવે છે. જો કે દિવાળીના વેકેશનમાં શરુ થયેલો આ મેળો સુરત પોલીસ દ્વારા બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
મોરબી દુર્ઘટના બાદ ગુજરાતમાં વિવિધ જિલ્લાના વહીવટી અને પોલીસ તંત્ર સતર્ક બન્યા છે. વિવિધ સ્થળોએ સાવચેતી રુપ પગલા હાથ ધરવામાં આવી રહ્યા છે. તો મોરબી દુર્ઘટના બાદ સુરતનું તંત્ર સફાળુ જાગ્યુ છે. જિલ્લામાં તંત્ર દ્વારા સાવચેતી માટે અનેક પગલા હાથ ધરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વનિતા વિશ્રામનો મેળો બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા મેળાના સંચાલકોને બે દિવસમાં મેળાની તમામ રાઇડ્સના ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે જણાવવામાં આવ્યુ છે. જે પછી જ તેઓ ફરીથી મેળો શરુ કરી શકશે તેવી સૂચના આપવામાં આવી છે.
દિવાળીના વેકેશનમાં શરુ થતો સુરતના વનિતા આશ્રમનો મેળો ખૂબ જ મોટો માનવામાં આવે છે. જો કે દિવાળીના વેકેશનમાં શરુ થયેલો આ મેળો સુરત પોલીસ દ્વારા બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મોરબી દુર્ઘટના બાદ તંત્ર કોઇ પણ જાતની બેદરકારી ચલાવી લેવા માગતુ નથી. તંત્ર દ્વારા મેળામાં ચાલતી રાઇડસની ચકાસણી માટે સંચાલકોને સમય આપવામાં આવ્યો છે. રાઇડ્સની ચેકિંગ, તેનું ઇન્સપેક્શન કરી અને તેનું સર્ટિફિકેટ મેળવવા માટે સંચાલકોને બે દિવસનો સમય આપવામાં આવ્યો છે. જે પછી મંજુરી મળતા આ મેળો ફરી શરુ કરી શકાશે. સુરતની ઉમરા પોલીસનો કાફલો મેળો શરુ ન થાય તેની વ્યવસ્થા માટે સ્થળ પર ખડેપગે છે. સુરત પોલીસ દ્વારા તમામ રાઇડ્સ બંધ કરાવી દેવામાં આવી છે. આ મેળાની રાઉઇડ્સના સંચાલકો દ્વારા વિવિધ રાઇડ્સના ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ હવે રાઇ્ડ્સ શરુ કરવામાં આવશે.
મહત્વનું છે કે મોરબી દુર્ઘટના મામલે એક તરફ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં સરકાર દ્વારા પણ એક કમિટીનું ગઠન કરવામાં આવ્યુ છે. બીજી તરફ તપાસ સમિતિ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની પુછપરછ હાથ ધરવામાં આવી છે. બ્રિજને લઈને નગરપાલિકાનો રોલ શું હતો તેની માહિતી લેવામાં આવી રહી છે. મોરબી પર ઝુલતા બ્રિજની કામગીરી અગાઉ ઓરેવો કંપનીને જ નગરપાલિકા દ્વારા સોંપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં નગરપાલિકાનો શું રોલ છે, તે જાણવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરની પુછપરછ હાથ ધરવામાં આવી છે.