અરવિંદ કેજરીવાલ બાદ મનીષ સિસોદિયાની સુરત મુલાકાત, એરપોર્ટ પર આ નેતાઓએ કર્યું સ્વાગત

મનીષ સિસોદિયા આજે એટલે કે રવિવારે સુરતની મુલાકાતે છે. વહેલી સવારે તેઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાં આપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 3:44 PM

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આપ આદમી પાર્ટીના નેતા (AAP) આજે સુરતની મુલાકાતે છે. અહેવાલો અનુસાર 24 જૂને સુરત આવવાના હતા પરંતુ તબિયતના કારણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે મનીષ સિસોદિયા સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. મનીષ સિસોદિયાના આગમનથી તેમના સ્વાગત માટે આમ આદમી પાર્ટીના ઘણા કાર્યકરો ઉમટી પડ્યા. આપના પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા એરપોર્ટ પર હાજર રહ્યા હતા.

ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022 પૂર્વે રાજ્યમાં પોતાનો પ્રભાવ વધારવા માટે આમ આદમી પાર્ટી( AAP) કાર્યરત થઇ છે. જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) આજે એટલે કે રવિવારે સુરતની મુલાકાતે આવ્યા છે. એરપોર્ટથી તેઓ સર્કીટ હાઉસ પહોંચ્ય. અને હવે તેઓ 12 વાગે એક પત્રકાર પરિષદને સંબોધિત કરશે.

જાણવા મળ્યું છે કે પ્રેસ કોન્ફરન્સ બાદ મનીષ સિસોદિયા કાઉન્સિલરો સાથે બેઠક કરશે. ત્યાર બાદ સામાજિક અગ્રણી અને ઉધ્યો સાથે જોડાયેલા લોકોની પણ મુલાકાત લેશે. મનીષ સિસોદિયાની આ સુરત મુલાકાત અને આયોજન પરથી સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગકારોની આપમાં જોડાવાની શક્યાતાઓ આંકવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: Banaskantha : અંબાજીમાં પ્રસાદના નામે ચાલતી લૂંટ બંધ થશે, દરેક વેપારીઓએ ભાવપત્રક લગાવવું ફરજિયાત

આ પણ વાંચો: Corona vaccination : દેશમાં કુલ રસીકરણનો આંકડો 32 કરોડને પાર, એક દિવસમાં 64 લાખથી વધુ ડોઝનું રસીકરણ

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">