AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત પોલીસે GST ચોરી કરનારા કૌભાંડીઓનો કર્યો પર્દાફાશ, બે આરોપીઓની કરવામાં આવી ધરપકડ

સુરત પોલીસે જીએસટી ચોરી કરનારા કૌભાંડીઓની ધરપકડ કરી છે. જીએસટી બચાવવા માટે ખોટા દસ્તાવેજો આરોપીઓ દ્વારા ઊભા કરવામાં આવ્યા અને તેનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. જો કે એક ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું અને પોલીસ તપાસમાં ચોકાવનારા ખુલાસાઓ થયા હતા.

સુરત પોલીસે GST ચોરી કરનારા કૌભાંડીઓનો કર્યો પર્દાફાશ, બે આરોપીઓની કરવામાં આવી ધરપકડ
Harin Matravadia
| Edited By: | Updated on: Nov 22, 2023 | 11:11 PM
Share

સામાન્ય રીતે લોકો ટેક્સ બચાવવા માટે અનેક નુસખાઓ અપનાવતા હોય છે. વેપારીઓ ખોટા દસ્તાવેજો ઊભા કરી ટેક્સ ચોરી કરતા હોય છે, ત્યારે આવા ટેક્સ ચોરોને પકડવા સરકાર અને પોલીસ સતર્ક રહે છે. આવા જ ટેક્સ ચોરી કરવા માટે ખોટા દસ્તાવેજો બનાવી જીએસટી નંબર મેળવનારા બે આરોપીઓની સુરતનાં આર્થિક ગુના નિવારણ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

બંને વેપારીઓની પૂછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે. બંને પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે વેપાર નહીં માત્ર બિલિંગ કરી કેસ ક્રેડિટ મેળવવા માટે શાહ એન્ટરપ્રાઇઝ અને કેતન એન્ટરપ્રાઇઝના નામે બોગસ પેડીઓ ઊભી કરવામાં આવી હતી જેના મુખ્ય આરોપીઓ ઉમંગ પટેલ અને શોબાન કુરેશી ની ધરપકડ કરવામાં આવી છે.

આ ટોળકી દ્વારા ખોટા સરનામે બોગસ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેના આધારે જીએસટી નંબર મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ્સ પર પાલનપુર માં રહેતી એડવોકેટ નોટરીના ખોટા સહી સિક્કા કરવામાં આવ્યા હતા. આરોપીઓ શાહ એન્ટરપ્રાઇઝ અને કેતન એન્ટરપ્રાઇઝના નામથી જે પેઢી ઊભી કરી હતી તે પેઢીનું જીએસટી રજીસ્ટ્રેશન માટે ધંધાનું સ્થળ ભરીમાતા રોડ શાહીલ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની મિલકત બતાવી હતી.

આ મિલકતના બોગસ ભાડા કરાર ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં તેના એડવોકેટ કીર્તન ગુલાલના નામના બોગસ સહી સિક્કા કર્યા હતા. આ બોગસ ભાડા કરારના આધારે ટોળકીએ જીએસટી નંબર લીધા બાદ કરોડો રૂપિયાની હેરાફેરી કરી કૌભાંડ આચાર્ય હતું. જોકે જીએસટી વિભાગના તપાસમાં કૌભાંડનો પર્દાફાશ થયા બાદ અધિકારીઓ દ્વારા ભરીમાતા મિલકત ખાતે દરોડા પાડતા સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો.

હોદ્દાનો દુરુપયોગ થયો હોવાનું આવ્યું સામે

પેઢીનું રજીસ્ટ્રેશન અને સંચાલનમાં ઓન પેપર જે નામો હતા તેમાં માત્ર એડવોકેટ કીર્તન ગુલાલ મળી આવ્યા હતા તેમના નામ, હોદ્દાનો દુરુપયોગ થયો હોવાનું સામે આવતા તેણે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુરમાં રહેતા એડવોકેટ કીર્તન ગુલાલેનાં નામથી બોગસ ભાડા કરારમાં ફોટો, આધાર કાર્ડ તેમજ પાનકાર્ડમો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પેઢી ચલાવનાર સામે નોંધાવી હતી ફરિયાદ

સમગ્ર મામલે જે વ્યક્તિએ સહી કરી હતી તે સુનિલ જમનાદાસના નામથી ઊભા કરાયેલી પેઢીમાં કેતન કાંતિલાલ મકવાણા, અલ્પેશ ગોહિલ, હાર્દિક, એ વેગડ, અજય વાઘેલા, સંજય શાહ તેમજ શાહ એન્ટરપ્રાઇઝ અને કેતન એન્ટરપ્રાઇઝના પેઢી ચલાવનાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : સુરતમાં આડેધડ બનાવેલો સ્પીડ બ્રેકર બન્યો જીવલેણ, અનેક વાહનચાલકો પટકાયા, જુઓ વીડિયો

આરોપી શોભાન કુરેશી એ કેતન એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખરીદી તેનું વેચાણ કરેલું છે ત્યારે આ પેઢી કોની પાસેથી ખરીદી અને કોને વેચી હતી તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જ્યારે આરોપી ઉમંગ પટેલે શાહ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખરીદી તેમાં ખોટા ખરીદ વેચાણના બિલો બનાવી એક્સ સ્ટોરી કરી છે જેને લઈને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">