AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંકટ સામે લડવા સુરત તૈયાર: જાણો કોરોનામાં ઓક્સિજનને લઈને તંત્ર દ્વારા શું કરવામાં આવી વ્યવસ્થા

કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવતા વહીવટીતંત્ર મોડે મોડે એકશન મોડમાં આવી ચૂકયુ છે. જિલ્લા કલેકટરે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિવ્યુ બેઠક યોજી.

સંકટ સામે લડવા સુરત તૈયાર: જાણો કોરોનામાં ઓક્સિજનને લઈને તંત્ર દ્વારા શું કરવામાં આવી વ્યવસ્થા
Surat District Collector held a review meeting at the new Civil Hospital
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 05, 2022 | 10:36 AM
Share

Surat: ગુજરાતમાં જે રીતે કોરોનાના (Corona) કેશીની સંખ્યા સતત વધી રહી છે તેની સામે હજુ સ્થાનિક તંત્ર જેટલું એક્ટિવ હોવું જોઈએ એટલું એક્ટીવ નથી જોવા મળી રહ્યું. તંત્ર માત્ર મિટિંગોમાં વ્યસ્થ હોય તેવું લાગે છે. તો કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવતા વહીવટીતંત્ર મોડે મોડે એકશન મોડમાં આવી ચૂકયુ છે. જિલ્લા કલેકટરે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિવ્યુ બેઠક યોજીને નવી સિવિલમાં નોટીસ મળ્યાના 24 કલાકમાં 1600 બેડ ઉપલબ્ધ કરવા તાકીદ કરી હતી.

સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા

આ સાથે સિવિલ હોસ્પિટલમાં જ દવા, તેમજ જરૃરી સાધનોના સ્ટોક ઓછો હોય તો 10 દિવસમાં હાજર કરવા પણ તાકીદ કરી હતી. આમ રિવ્યુ બેઠકમાં તંત્રને એલર્ટ કરી દીધુ હતુ. જો સુરતમાં ઓક્સિજની વાત કરવામાં આવે તો ક્ષમતા સિવિલ હોસ્પિટલમાં ત્રણ લિક્વિડ ઓક્સિજન ટેન્ક છે. જેની ક્ષમતા 17 ટન, 13 ટન અને 21 ટન છે. જેમાં 3 નેચરલ એયરથી મેડિકલ ઓક્સીઝન તૈયાર કરનાર પ્લાન્ટ છે.

તો આમાંથી કેન્દ્ર સરકાર દ્વારા 1 જ્યારે અન્ય બે L and T અને એસ્સાર કંપની દ્વારા સિવિલમાં લગાડવામાં આવ્યાં છે. જ્યારે બીજી લહેરમાં આ ટેન્ક તાત્કાલિક ઉભી કરવામાં આવી હતી. આ સાથે જ 750 સિલેન્ડર પણ છે.

સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ

બીજી બાજુ સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ (Surat Hospitals Oxygen bed and ICU) છે. તેની ક્ષમતાની વાત કરીએ તો લિક્વિડ ઓક્સિજનમાં ચાર ટેન્ક છે, 13 ટન, 17 ટન, 17 ટન અને 21 ટન. આ સાથે જ હોસ્પિટલ પાસે 500 સિલેન્ડર છે.

અહીંયા પણ ઓક્સિજનની વ્યવસ્થા

સુરતના સચિન વિસ્તારમાં એએમ સર્જીકલ ફાઈલિંગ સ્ટેશન છે, જ્યાં 24 કલાકમાં 2000 જેટલા સિલેન્ડર રિફીલિંગ થઈ શકે છે. હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં આઈનોક્સ કંપનીનો મોટો ઓક્સિજન પ્લાન્ટ છે. જેમાં 24 કલાક દરમિયાન આઈનોક્સ કંપની 149 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદન કરી શકે છે.

શહેર જિલ્લામાં 25 થી વધુ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ

સુરતમાં વધી રહેલા કો૨ોનાના કેસો અંતર્ગત દરદીઓને ઓક્સિજનની અછત ન પડે તે માટે જિલ્લા કલેક્ટર આયુષ ઓકના તે આદેશથી શહેર અને જિલ્લાની 25 થી વધુ ઓક્સિજન પ્લાન્ટનું મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પ્લાન્ટમાં ઓક્સિજન યોગ્ય રીતે ઓપરેટ થઈ શક્યો છે. સુરતની સિવિલ – સ્મીમેર સહિત સરકારી , અર્ધ સરકારી આઠ હોસ્પિટલો તથા સુરત જિલ્લાના 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને માંડવી બારડોલી મળીને કુલ 25 થી વધુ હોસ્પિટલોમાં લગાવવામાં આવેલા ઓક્સિજન સપ્લાયની ચકાસણી કરવામાં આવી હતી . જેમાં તમામ ઓક્સિજન પ્લાન્ટ યોગ્ય રીતે ઓપરેટ થયા હતાં.

સુરત શહેર અને જિલ્લામાં પાલિકા દ્વારા અને જિલ્લા કલેકટર દ્વારા ખાસ તકેદારી અને અધિકારીઓ ને સતત મોનીટરીંગ કરવું જરૂરી છે. કારણ કે હજુ પણ ઘણી જગ્યાએ લોકો બેદરકારી દાખવી રહ્યા છે. જે આવનારા દિવસો માટે ભારી પડી શકે છે. આ સાથે પાલિકા દ્વારા કડક વલણ પણ જરૂરું છે. બીજી બાજુ VNSU માં કુલપતિ અને બીજા સ્ટાફ પોઝિટીવ આવતા યુનિવર્સિટીનો અભ્યાસ ઓનલાઇન કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: Surat : હવે VNSGUમાં પણ કોરોનાનો પેસારો , કુલપતિ બાદ 10 વહીવટી કર્મચારીઓ પોઝિટિવ

આ પણ વાંચો: Surat : સિવિલમાં સારવાર માટે આવેલા 11 દર્દીઓના રિપોર્ટ પણ પોઝિટિવ, તંત્રમાં ખળભળાટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">