Breaking News: “ભારતના ટૂકડા કરવા માટે દેશના મુસ્લિમો નહીં કોંગ્રસ પાર્ટી જવાબદાર”- સુરતથી ઓવૈસીનો કોંગ્રેસ પર પ્રહાર

AIMIM ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી એ મૌલાના અબુલ કલામ આઝાદની બુકમાં કરાયેલા ઉલ્લેખને આધારે દાવો કર્યો છે કે મુસ્લિમો પર ભારતના ટૂકડા કરવાનો આરોપ લગાવનારાઓ જુઠા છે. તેમણે ભારતના વિભાજન માટે જિન્ના અને કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા છે.

Breaking News: ભારતના ટૂકડા કરવા માટે દેશના મુસ્લિમો નહીં કોંગ્રસ પાર્ટી જવાબદાર- સુરતથી ઓવૈસીનો કોંગ્રેસ પર પ્રહાર
| Updated on: Apr 20, 2026 | 2:00 PM

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ભારતના ભાગલાને લઈને દાવો કર્યો છે કે તેના માટે આ દેશના મુસ્લિમો જવાબદાર ન હતા. હૈદરાબાદખથી સાંસદ ઓવૈસીએ દાવો કર્યો છે કે દેશના વિભાજન માટે મોહમ્મદ અલી જિન્નાની સાથોસાથ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ નેહરુ અને ગાંધી પણ એટલા જ જવાબદાર હતા.

અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં સુરતના લિંબાયતમાં રવિવારે એક કાર્યક્રમ દરમિયાન આ દાવો કર્યો કે મૌલાના અબુલ કલામ આઝાદે ભારતના ભાગલા રોકવા માટેના અનેક પ્રયત્ન કર્યા હતા પરંતુ કોંગ્રેસના નેતાઓએ તેમની અપીલ પર ધ્યાન ન આપ્યુ.

સાંભળો શુંં કહ્યુ ઓવૈસીએ- Video

“ભારતના બે ટૂકડા કરવામાં કોંગ્રેસ સામેલ”

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે ‘મજલિસ’ (AIMIM) થી વિરોધીઓ એટલે ડરે છે કારણ કે સહુની લીડપશીપ હોય છે… ભારતમાં અગર કોઈની લીડરશિપ ન હોવી જોઈએ તો એ મુસ્લિમનોની ન હોવી જોઈએ, આવુ વારંવાર કહે છે કે અરે એક પાર્ટીશન તો થઈ ગયુ….!

અરે… તમે જુઠાણુ ફેલાવી રહ્યા છો. પાર્ટીશનના જવાબદાર આ દેશના મુસ્લિમો ન હતા. કારણે 90 ટકા મુસ્લિમો તો એ જમાનામાં વોટ જ કરી શક્તા ન હતા, જ્યારે એ જાલિમ જિન્ના એ આ મુલ્કના બે ટૂકડા કર્યા.. અને હું પૂછવા માગુ છુ કે શું દેશના બે ટૂકડા કરવામાં કોંગ્રસ પાર્ટી જવાબદાર ન હતી? બિલકુલ હતી…

ઓવૈસી એ ગાંધી, નહેરુ અને આઝાદનો કર્યો ઉલ્લેખ

ઓવૈસીએ ત્યાં સુધી દાવો કર્યો કે, આ હું નથી કહી રહ્યો.. મૌલાના અબુલ કલામ આઝાદે તેમના પુસ્તક ‘INDIA WINS FREEDOM’ માં કહ્યુ છે કે “હું ગાંધીની પાસે ગયો, નહેરુની પાસે ગયો અને અપીલ કરી કે ભારતના ટૂકડા ન થવા દો.. અને મૌલાના આઝાદે આ પુસ્તકમાં લખ્યુ છે કે “હું ભારતની જમુરિયતને મજબુર થવા માટે કહી રહ્યો છુ… ” ઓવૈસીએ મૌલાના આઝાદના પુસ્તકનો હવાલો આપતા કહ્યુ કે આ તમે તેમના પુસ્તકમાં વાંચી શકો છો.

IMF રેન્કિંગમાં ભારતીય અર્થવ્યવસ્થા ચોથા સ્થાનેથી ઘટીને છઠ્ઠા સ્થાને પહોંચી, રિવર્સ ગિયરમા જવા પાછળના કારણો- વાંચો

Follow Us