Surat: સુરતમાં બાઇસિકલ રિસાયકલ પ્રોજેકટ અંતર્ગત 21 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અપાઈ સાઇકલ
Surat માં સરાહનીય કામગીરી જોવા મળી છે. પ્રોજેકટ રિસાયકલ હેઠળ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા અલગ અલગ ભંગાર પડેલી 75 સાઇકલને ભેગી કરીને એક્સપર્ટ મિકેનિક દ્વારા સાઈકલને રિસાયકલ કરવામાં આવી હતી.
થોડા દિવસ પહેલા જ વર્લ્ડ સાઇકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આપણે જાણીએ છીએ તેમ સાઇકલ ચલાવવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત હાલમાં જે રીતે પ્રદુષણ વધી રહ્યું છે તેને જોતા લોકોએ હવે સાઇકલ ચલાવવા તરફ વળવાની વધુ જરૂર પણ લાગી રહી છે.
સુરતમાં ઘણી જગ્યાએ લોકો દ્વારા સાઈકલ ચલાવવાનું બંધ કરાતા આવી સાઈકલો અવાવરી જગ્યાએ કે રસ્તે ભંગાર હાલતમાં પડેલી જોવા મળી જાય છે. કેટલાક લોકો પાસે આવી સાઇકલ ધૂળ ખાતી હાલતમાં પણ મળી આવે છે. સાઇકલની કોઈ રિસેલ વેલ્યુ પણ નહીં હોવાથી કોઈ તેને ખરીદવા કે વેચવા પણ તૈયાર થતું નથી.
આવા સમયે પ્રોજેકટ રિસાયકલ હેઠળ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા અલગ અલગ ભંગાર પડેલી 75 સાઇકલને ભેગી કરીને એક્સપર્ટ મિકેનિક દ્વારા સાઈકલને રિસાયકલ કરવામાં આવી હતી. અને આવી 21 જેટલી રીસાઇકલ થયેલી સાઈકલને 21 જેટલા ગરીબ વિદ્યાર્થીઓને વહેંચવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના કાનજી ભાલાળાએ તેમની વરાછા બેંકમાં પણ કર્મચારીઓને સાઇકલ લઈને આવવા પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રોજેકટ વિશે તેમણે જણાવ્યું હતું કે આવી સાઈકલો આમ પણ ભંગારમાં કાટ ખાય છે પણ તેનો રિયુઝ કરી શકાય છે. જે હેઠળ તેમણે આ પ્રયત્ન કર્યો છે.
આ ઉપરાંત બાઇસિકલ મેયર સુનિલ જૈને જણાવ્યું હતું કે લોકોમાં સાઈકલનો ઉપયોગ વધે તે માટે તેઓ જાગૃતિ લાવવાનું કામ કરે છે. પ્રોજેકટ રિસાયકલ અંતર્ગત હાલ તેમણે 21 સાઇકલ વેસ્ટમાંથી બેસ્ટ રીતે તૈયાર કરી છે. અને હજી 25 સાઇકલ તૈયાર કરવામાં આવી રહી છે. કોરોનામાં જે વિદ્યાર્થીઓ નિરાધાર બન્યા છે અથવા જેમની આર્થિક સ્થિતિ નબળી બની છે, એવા વિદ્યાર્થીઓને આ સાઇકલ આપવાનો તેમણે નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: Health Tips: જો નહીં રાખો આ 6 બાબતોનું ધ્યાન, તો વરસાદની મજા બની જશે બીમારીની સજા
આ પણ વાંચો: એક સમયે 4000 રૂપિયાની નોકરી કરતા હતા આ અભિનેતા, ‘બાઘા’ના પાત્ર માટે મળે છે આટલા રૂપિયા