Surat : અખિલ ભારતીય કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખ અજિત પટેલનો આક્ષેપ, પૂર્વ પ્રમુખ કુંવરજી બાવળીયાએ સમાજ માટે ઓછો સમય ફાળવ્યો

|

Aug 02, 2021 | 9:38 PM

અખિલ ભારતીય કોળી સમાજના નવા નિમાયેલા પ્રમુખ અજીત પટેલે સુરતમાં ટીવી નાઈન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કુંવરજી બાવળીયા કોળી સમાજ માટે સમય નથી આપ્યો જેનાથી લોકો નારાજ છે.

અખિલ ભારતીય કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખ અજિત પટેલે(Ajit Patel) પૂર્વ પ્રમુખ કુંવરજી બાવળીયા પર  સમાજ માટે સમય નહિ આપ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં નવા નિમાયેલા પ્રમુખ અજીત પટેલે સુરત(Surat) માં  ટીવી નાઈન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કુંવરજી બાવળીયા કોળી સમાજ માટે સમય નથી આપ્યો જેનાથી લોકો નારાજ છે. તેમજ તે ભાજપમાં જોડાતા મંત્રી બન્યા છે તેથી પોતાના કામમાં વ્યસ્ત રહ્યા છે જેના લીધે  કોળી સમાજના સંગઠનમાં વધુ સમય આપી શકતા નથી.  જેના લીધે છેલ્લા કેટલાક સમયથી સમાજમાં રાજકીય વાતાવરણને લઈ વિરોધ થવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

 

આ પણ વાંચો : Health Tips : શું તમને વધુ કૉફી પીવાની આદત છે, વાંચો તમારા સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક છે ?

આ પણ વાંચો : BHAKTI: વર્ષમાં માત્ર દોઢ માસ ભક્તોને દર્શન દે છે આ દેવાધિદેવ ! સ્વયં પાંડવો દ્વારા પૂજીત શિવલિંગનો જાણો મહિમા

Published On - 9:29 pm, Mon, 2 August 21

Next Video